રાજકીય પતંગબાજી! 'જે માહિર હોય તેની પતંગ ના કપાય, જેની વારંવાર કપાય તેને શીખવાની જરૂર’

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર લોકનિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો હતો. તેમણે ઉત્તરાયણ  નિમિત્તે ખીલદીલીથી પતંગ ચગાવવા લોકોને અપીલ કરી હતી. જે બાદ કહ્યું, જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય, પતંગ કાપવો અને કપાવો તેની પાછળ ઘણા બધા મર્મ છે.. જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે. 

રાજકીય પતંગબાજી! 'જે માહિર હોય તેની પતંગ ના કપાય, જેની વારંવાર કપાય તેને શીખવાની જરૂર’

Uttarayan 2024: આજે ગુજરાતભરમાં ઠેર ઠેર ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પતંગ ચગાવીને એક નિવેદન આપ્યું હતું. જેના કારણે તે ચર્ચામાં આવ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર લોકનિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો હતો અને ઉતરાયણ નિમિત્તે ખેલદીલીથી પતંગ ચગાવવા લોકોની અપીલ કરી હતી. સાથે ગેનીબેને ઉતરાયણના પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી. 

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અહીં એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય, પતંગ કાપવો અને કપાવો તેની પાછળ ઘણા બધા મર્મ છે. જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે. કોઈ લોકો ગેમ રમી પતંગ કાપતા હોય તો તેમને પણ ખેલદિલીની ભાવના રાખવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આજે મકરસંક્રાંતિનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આમ આદમીની સાથે રાજનેતાઓ પણ પતંગ ચગાવીને મોજ માણી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news