કયાં સુધી આવશે મોનસૂન? લૂ, ગરમી વચ્ચે હવામાન વિભાગના આ રિપોર્ટે વધારી ચિંતા

Monsoon 2023: એક તરફ દેશમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત બીજીતરફ હવામાન વિભાગે મોનસૂનમાં વિલંબના સંકેત આપ્યા છે. આઈએમડી અને સ્કાઈમેટ વેધર દ્વારા જારી રિપોર્ટમાં વરસાદ મોડો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 
 

 કયાં સુધી આવશે મોનસૂન? લૂ, ગરમી વચ્ચે હવામાન વિભાગના આ રિપોર્ટે વધારી ચિંતા

અમદાવાદઃ એક તરફ દેશમાં લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ હવામાન વિભાગે ચોમાસામાં વિલંબના સંકેત આપ્યા છે. IMD અને Skymet Weather દ્વારા જાહેર કરાયેલા અહેવાલોમાં વરસાદમાં વિલંબ થવાની આગાહી કરવામાં આવી છે. આ અનુમાન મુજબ 6 જુલાઈ પહેલા દેશમાં વરસાદની સ્થિતિ બહુ સારી રહેવાની નથી. સ્કાયમેટે સોમવારે આગાહી જાહેર કરી, જેમાં કહેવામાં આવ્યું છે કે મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના વિવિધ ભાગો 6 જુલાઈ સુધી સૂકા રહેશે. વરસાદમાં આ વિલંબ ખેડૂતો માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે, જેઓ હાલમાં ડાંગરની નર્સરી તૈયાર કરવામાં રોકાયેલા છે. બીજી તરફ, દેશના વિવિધ ભાગોમાં ગરમી અને લૂના મોજાઓ સતત તબાહી મચાવી રહ્યા છે અને તાપમાનમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

પાક ચક્ર પર પણ અસર
સ્કાઈમેટ વેધર પ્રમાણે 9 જૂનથી 6 જુલાઈ વચ્ચે વરસાદને લઈને નિરાશા જાહેર કરવામાં આવી છે. તે પ્રમાણે કૃષિ ક્ષેત્રમાં દુષ્કાળ દેખાઈ રહ્યો છે. ડાંગરની નર્સરી અને રોપણી માટેની તૈયારીને ધ્યાનમાં રાખીને, ખેડૂત આ સમય દરમિયાન સારા વરસાદની અપેક્ષા રાખે છે. પરંતુ મધ્ય અને પશ્ચિમ ભાગોમાં અપૂરતા વરસાદની શક્યતા છે. આ વાવણીના નિર્ણાયક સમય સાથે અથવા ઓછામાં ઓછા ખેતરની તૈયારી સાથે, સારા વરસાદની નિકટવર્તી અપેક્ષા સાથે એકરુપ છે. જેના કારણે ખેડૂતોને પાકના રોટેશન અને પાકના પ્રકાર પસંદ કરવામાં મુશ્કેલી પડશે. IMDની આગાહીએ 30 જૂનથી 6 જુલાઈના સપ્તાહમાં હળવો વરસાદ સૂચવ્યો છે. 1 જૂનથી દેશમાં વરસાદમાં 54 ટકાની ઉણપ રહી છે. તે દક્ષિણ દ્વીપકલ્પમાં 53 ટકા, મધ્ય ભારતમાં 80 ટકા, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 10 ટકા અને પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં 53 ટકા ઘટ્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

બિપરજોયથી વરસાદ, પરંતુ મોનસૂન નહીં
સ્કાઈમેટ વેધરના વરિષ્ઠ અધિકારી મહેશ પાલાવતે કહ્યુ કે, બિપરજોય ચક્રવાતને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદ થશે. પરંતુ અમે આશરે એક સપ્તાહ સુધી મધ્ય ભારતમાં મોનસૂન આવવાની આશા કરી રહ્યાં નથી. દેશના આંતરિક ભાગોમાં મોનસૂન કવરેજમાં તેજી આવી નથી. તેની પાછળ બિપરજોયને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે બિપરજોય લેન્ડફોલ બાદ નબળું પડશે, પરંતુ ઓછા દબાવનું ક્ષેત્ર બનેલું રહેશે અને મોનસૂની પવનો ગતિ પકડશે નહીં. તે ભેજને ઉત્તર-પશ્ચિમ ભારત તરફ વાળી દેશે. પરંતુ પાલાવતે આગળ કહ્યું કે લાંબા સમયના અંતરને કારણે પૂર્વાનુમાન ખુબ સટીક નથી. પરંતુ કેટલાક મોડલ જુલાઈની શરૂઆતમાં પણ શુષ્ક સ્થિતિનો સંકેત આપી રહ્યાં છે. પૂર્વાનુમાન લગભગ 5 દિવસ પહેલા વધુ સટીક હોય છે. 

લોકો કરી રહ્યાં છે લૂનો સામનો
આ વચ્ચે દેશમાં લોકો ગરમીનો સામનો કરી રહ્યાં છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશામાં રવિવારે તાપમાન 42થી 44 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. ઓડિશા, બિહાર અને તટીય આંધ્ર પ્રદેશના અલગ-અલગ ભાગમાં ભીષણ ગરમીની સ્થિતિ બનેલી છે અને ગંગાના પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને તેલંગણાના અલગ-અલગ વિસ્તારમાં લૂની સ્થિતિ બનેલી છે. ગુજરાતને છોડીને દેશના મોટા ભાગમાં ગુરૂત્મ તાપમાનમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફાર થવાની આશા નથી, જ્યાં આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં 4-6 ડિગ્રી સેલ્સિયસ અને રાજસ્થાનમાં 2-3 ડિગ્રી ઘટાડાની સંભાવના છે. છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રના અલગ-અલગ વિસ્તારમાં આગામી બે દિવસ દરમિયાન ભીષણ લૂની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે અને ત્યારબાદ આગામી ત્રણ દિવસ દરમિયાન લૂની સ્થિતિ બની રહી શકે છે. આઈએમડીએ ચેતવણી આપી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડના અલગ-અલગ ભાગમાં લૂની સ્થિતિ યથાવત રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news