અગ્નિપથના વિરૂદ્ધ દિલ્હી કૂચ માટે ટ્રેક્ટર તૈયાર, રાકેશ ટિકૈત કરી દેશવ્યાપી વિરોધની જાહેરાત

તમને જણાવી દઇએ કે અગ્નિપથ યોજનાના વિરોધમાં સોશિયલ મીડિયા પર 20 જૂન એટલે સોમવારે ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે. તેમાં કોઇ સંગઠનને કોઇ અપીલ કરી નથી. સોશિયલ મીડિયા પર ભારત બંધ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખતાં અલગ-અલગ રાજ્યોમાં વહિવટીતંત્ર એલર્ટ પર છે. 

અગ્નિપથના વિરૂદ્ધ દિલ્હી કૂચ માટે ટ્રેક્ટર તૈયાર, રાકેશ ટિકૈત કરી દેશવ્યાપી વિરોધની જાહેરાત

Agneepath scheme protest: અગ્નિપથ સેના ભરતી યોજના મઍટે આખા દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દિલ્હી પોલીસે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરી છે. પોલીસ સૂત્રોના અનુસાર અગ્નિપથ યોજના વિરૂદ્ધ દિલ્હી તરફ મોટી સંખ્યામાં ટ્રેક્ટર કૂચ કરી શકે છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હીના તમામ બોર્ડરને સોમવારે સવારે સીલ કરવામાં આવી શકે છે. ટિકરી બોર્ડર, સિંધુ બોર્ડર, અપ્સરા બોર્ડર, ગાજીપુર બોર્ડર, બદરપુર બોર્ડર પર સુરક્ષાને લઇને દિલ્હી પોલીસના સીનિયર અધિકારીઓએ હાઇલેવલ મીટિંગ પણ કરી છે. દિલ્હી પોલીસને એવા ઇનપુટ મળી રહ્યા છે કે મોટી સંખ્યામાં અગ્નિપથ સેના ભરતીના વિરોધની આડમાં ટ્રેક્ટર દિલ્હી તરફ કૂચ કરી શકે છે.  

ઘણા રાજ્યોમાં વહિવટીતંત્ર એલર્ટ પર
તમને જણાવી દઇએ કે અગ્નિપથ યોજનાના વિરોધમાં સોશિયલ મીડિયા પર 20 જૂન એટલે સોમવારે ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે. તેમાં કોઇ સંગઠનને કોઇ અપીલ કરી નથી. સોશિયલ મીડિયા પર ભારત બંધ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખતાં અલગ-અલગ રાજ્યોમાં વહિવટીતંત્ર એલર્ટ પર છે. 

રાકેશ ટિકૈતે પણ કરી વિરોધની જાહેરાત
ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ અગ્નિપથ યોજના વિરૂદ્ધ દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી ચૂક્યા છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ગુરૂવારે (18 જૂન 2022) ને સશસ્ત્ર બળોમાં ભરતી માટે કેંદ્રની 'અગ્નિપથ' યોજનાનો વિરોધ કરતાં કહ્યું કે તેને રોકવા માટે એક દેશવ્યાપી આંદોલનની જરૂર છે. રાકેશ ટિકૈતે કહ્યું કે દેશને હવે વધુ એક મોટા આંદોલનની જરૂર છે. 

જાણો ટિકૈતે શું કહ્યું? 
તેમણે કહ્યું કે અત્યાર સુધી યુવાનોને સશસ્ત્ર બળોમાં ઓછામાં ઓછા 15 વર્ષની સેવા અને સેવાનિવૃતિ બાદ પેંશન મળી રહી હતી. પરંતુ આ યોજનાને લાગૂ કર્યા બાદ આ યોજનાને લાગૂ થયા બાદ શસસ્ત્ર બળોની સેવાઓમાંથી સેવાનિવૃત થયા બાદ સૈનિક પેન્શનના ઘરે પરત ફરશે. તેમણે કહ્યું કે ધારાસભ્યો અને સાંસદો માટે પણ ચૂંટણી લડવા માટે કાયદો બનવો જોઇએ. તેમણે ભાર મૂકતાં કહ્યું કે તેને રોકવા માટે દેશવ્યાપી આંદોલનની જરૂર છે. 

ચાર લાખ ટ્રેક્ટર તૈયાર છે
બીકેયૂ નેતાને કહ્યું કે ધારાસભ્ય અને સાંસદ 90 વર્ષની ઉંમર સુધી ચૂંટણી લડી શકે છે અને પેંશન પણ લઇ શકે છે. પરંતુ ચાર વર્ષની સેવા બાદ યુવાનો પર સેવાનિવૃતિ થોપવી યોગ્ય છે. અમે આમ થવા દઇશું નહી. તેમણે કહ્યું કે બીકેયૂ અગ્નિપથ યોજના વિરૂદ્ધ આંદોલન કરશે. કૃષિ કાયદાને પરત લેવા માટે તેમણે કહ્યું કે ખેડૂતોને દિલ્હીનો રસ્તો બતાવી છે અને ચાર લાખ ટ્રેક્ટર તૈયાર છે. દેશમાં આ મુદ્દા પર મોટા આંદોલનની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news