ચૂંટણીમાં હાર મુદ્દે 4 કલાક ચાલી ચર્ચા, CWC માં કોંગ્રેસ અધ્યક્ષને લઇને લીધો આ નિર્ણય

કોંગ્રેસની ટોચની નીતિ નિર્ધારક એકમ કોંગ્રેસ કાર્ય સમિતિ (સીડબ્લ્યૂસી)એ તાજેતરમાં વિધાનસભામાં પાર્ટીની આકરી હારના કારણો અને આગળની રણનીતિ પર રવિવારે અહીં ચર્ચા કરવામાં આવી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની ટોચની નીતિ નિર્ધારક એકમ સીડબ્લ્યૂસીની બેઠક પાર્ટી મુખ્યાલયમાં ચાર કલાક સુધી ચાલી.

ચૂંટણીમાં હાર મુદ્દે 4 કલાક ચાલી ચર્ચા, CWC માં કોંગ્રેસ અધ્યક્ષને લઇને લીધો આ નિર્ણય

નવી દિલ્હી: કોંગ્રેસની ટોચની નીતિ નિર્ધારક એકમ કોંગ્રેસ કાર્ય સમિતિ (સીડબ્લ્યૂસી)એ તાજેતરમાં વિધાનસભામાં પાર્ટીની આકરી હારના કારણો અને આગળની રણનીતિ પર રવિવારે અહીં ચર્ચા કરવામાં આવી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની ટોચની નીતિ નિર્ધારક એકમ સીડબ્લ્યૂસીની બેઠક પાર્ટી મુખ્યાલયમાં ચાર કલાક સુધી ચાલી. બેઠકમાં સોનિયા ગાંધી ઉપરાંત પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઘણા અન્ય નેતા સામેલ હોય છે.  

કોંગ્રેસનું નેતૃત્વ કરતી રહેશે સોનિયા ગાંધી
પાર્ટીની કાર્યસમિતિની બેઠક બાદ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી અમારું નેતૃત્વ કરતી રહેશે. ભવિષ્યમાં તેમના નિર્ણયથી જ પાર્ટી આગળ ચાલશે. અમને બધાને તેમના નેતૃત્વ પર વિશ્વાસ છે. તે પાર્ટીના અધ્યક્ષ બનેલા છે. કોંગ્રેસના ગોવા પ્રભારી દિનેશ ગુંડૂ રાવે કહ્યું કે 5 રાજ્યોની ચૂંટણીને લઇને અમે વિસ્તૃત ચર્ચા કરી કે વસ્તુઓને કેવી રીત આગળ વધારવામાં આવે અન અમે આગામી ચૂંટણીની તૈયારીઓ કેવી રીત કરીએ . 

'જી 23' સમૂહના નેતા પણ થયા સામેલ
આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીના 'જી 23' ગ્રુપના ઘણા નેતાઓએ શુક્રવારે બેઠક કરી, જેમાં આગળની રણનીતિને લઇને ચર્ચા કરવામાં આવી. રાજ્યસભાના પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદના આવાસ પર યોજાયેલી આ બેઠકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મુકુલ વાસનિક સામેલ થયા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આ બેઠકમાં સામેલ થયા નહી. વરિષ્ઠ નેતા એ કે એંટની કોવિડ 19થી સંક્રમિત હોવાથી આ બેઠકમાં હાજરી રહ્યા ન હતા. આ મહત્વપૂર્ણ બેઠકના એક દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે ગાંધી પરિવાર પાર્ટીના પદો પરથી રાજીનામાની ઓફર કરી શકે છે. જોકે કોંગ્રેસે સત્તાવાર રીતે આ સમાચારનું ખંડન કરતઍં તેને 'ખોટી અને ટીખળ' ગણાવ્યા હતા. 

રાહુલ ગાંધીને લઇને ઉઠી આ માંગ
કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વને સમર્થન આપતા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રવિવારે કહ્યું હતું કે રાહુલ ગાંધી એકમાત્ર એવા વ્યક્તિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતાની પૂરી તાકાતથી લડી રહ્યા છે. શિવકુમારે ટ્વીટ કર્યું 'જેમ કે મેં પહેલાં કહ્યું કે રાહુલ ગાંધીને તત્કાલ અધ્યક્ષની જવાબદારી લેવી જોઇએ. આ મારા જેવા પાર્ટીના કરોડો કાર્યકર્તાની ઇચ્છા છે.'

સીડબ્લ્યૂસીની બેઠક એવા સમયે આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસે પંજાબમાં સત્તા ગુમાવી અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ તેને આકરી હારનો સામનો કરવો પડ્યો છે. સોનિયા ગાંધી ગત કેટલાક સમયથી સક્રિયરૂપથી પ્રચાર કરી રહી નથી. પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક રહ્યા છે. સાથે જ ભાઇ-બહેનની જોડી પાર્ટીના મહત્વપૂર્ણ નિર્ણયોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. 

આગળની રણનીતિને લઇને ચર્ચા
આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીના 'જી 23' ગ્રુપના ઘણા નેતાઓએ શુક્રવારે બેઠક કરી, જેમાં આગળની રણનીતિને લઇને ચર્ચા કરવામાં આવી. રાજ્યસભાના પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદના આવાસ પર યોજાયેલી આ બેઠકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારી સામેલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news