Vakri Guru 2022: દેવગુરૂ બૃહસ્પતિ 12 વર્ષ બાદ થયા વક્રી, આ 3 રાશિઓનો થશે ભાગ્યોદય

Vakri Guru 2022: ગુરૂ 29 જુલાઈથી વક્રી થયા હતા. ગુરૂ મીન રાશિમાં નવેમ્બર સુધી રહેશે. ગુરૂની વિપરીત ચાલથી ઘણી રાશિનું ભાગ્ય ચમકી શકે છે. 

Vakri Guru 2022: દેવગુરૂ બૃહસ્પતિ 12 વર્ષ બાદ થયા વક્રી, આ 3 રાશિઓનો થશે ભાગ્યોદય

નવી દિલ્હીઃ Vakri Guru 2022 Effect on Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરૂ બૃહસ્પતિની અવસ્થાનું ખુબ મહત્વ છે. ગુરૂ ગ્રહની ચાલનો બધી 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. દેવગુરૂ બૃહસ્પતિ 12 વર્ષ બાદ પોતાની સ્વરાશિ મીનમાં વક્રી થયા છે. એટલે કે ગુરૂ ગ્રહ ઉલ્ટી ચાલ ચાલી રહ્યો છે. તે 23 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી થયો છે. ગુરૂના વક્રી થવાનો પ્રભાવ આ ત્રણ રાશિઓ માટે ખુબ શુભ રહેવાનો છે. જાણો આ રાશિઓને થશે લાભ...

વૃષભઃ ગુરૂ ગ્રહ પોતાની રાશિથી 11માં સ્થાનમાં વક્રી થયો છે. જ્યોતિશ શાસ્ત્રમાં આ સ્થાન લાભ તથા આવકનો ભાવ કહેવામાં આવે છે. આવકના નવા સાધન ખુલશે. વ્યાપારીઓને લાભ થશે. વાહન કે પ્રોપર્ટીની ખરીદીનો યોગ બનશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. 

મિથુન- મિથુન રાશિવાળા માટે વક્રી ગુરૂ ખુબ લાભકારી રહેવાનો છે. આ દરમિયાન તમને નોકરીમાં અપાર સફળતા હાસિલ થઈ શકે છે. મિથન રાશિના દશમ ભાવમાં ગુરૂ ગ્રહ વક્રી થયો છે. ગુરૂ ગ્રહના પ્રભાવથી તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. 

કર્ક- ગુરૂ વર્કી થવાથી તમને ભાગ્યનો સાથ મળશે. આ દરમિયાન તમારા અટકેલા કામ પૂરા થશે. યાત્રાનો લાભ મળશે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને લાભ થશે. વેપારીઓને લાભ મળશે. 

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. કોઈ વસ્તુ અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news