Loksabha Election 2024: આ 3 નેતાઓને ભાજપે આપ્યો 2024માં 400થી વધુ સીટ જીતાડવાનો ટાર્ગેટ

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાના ઉદ્દેશ્યથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પાછલા દિવસોમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. તે હેઠળ તેમણે ત્રણ સભ્યોની ટીમ બનાવી છે. 
 

Loksabha Election 2024: આ 3 નેતાઓને ભાજપે આપ્યો 2024માં 400થી વધુ સીટ જીતાડવાનો ટાર્ગેટ

નવી દિલ્હીઃ Loksabha Election: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક વર્ષ બાકી છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પોત-પોતાના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ તમામ સર્વે અને ચૂંટણી વિશ્લેષકોના મતે હજુ પણ ભાજપની ધાર છે. વિપક્ષો પણ અત્યાર સુધી એક થઈ શક્યા નથી, પરંતુ આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપે 2024ની સામાન્ય ચૂંટણી માટે નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. 400થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે, જે 2019માં ભાજપને મળેલી 303 બેઠકો કરતા ઘણો વધારે છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં કુલ સાંસદોની સંખ્યા 545 છે.

લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાના ઈરાદાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાછલા દિવસોમાં મહત્વનો નિર્ણય કર્યો છે. તે હેઠળ તેમણે ત્રણ સભ્યોની ટીમની નિમણૂંક કરી છે. આ ત્રણ નેતાઓમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નહીં, પરંતુ અન્ય નેતા સામેલ છે. આ બેકરૂમ ટીમમાં સુનીલ બંસલ, વિનોદ તાવડે અને તરૂણ ચુગ સામેલ છે. આ ત્રણેય નેતા પાર્ટીના મહાસચિવ છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર આ ટીમ 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે રણનીતિઓ પર કામ કરશે. તેની ભૂમિકા તે સીટોની ઓળખ કરવાની પણ હશે, જ્યાં પર પાર્ટી પાછલી લોકસભા ચૂંટણીમાં બીજા નંબર પર આવી હતી. 

આ સિવાય આ ટીમ પર જવાબદારી સંબંધિત રાજ્ય ભાજપ એકમના સમન્વયમાં સંભવિત ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાની પણ હશે. ચૂંટણી કવાયત સિવાય ટીમ પોતાના મૂળ સમર્થકોથી અલગ સંગઠનની સ્વીકાર્યતાને વધારવા મટે જાહેર, આઉટરીચ કાર્યક્રમોની પણનીતિ પણ બનાવશે. જાણો કોણ છે સુનીલ બંસલ, તરૂણ ચુદ અને વિનોદ તાવડે અને શું છે તેની ખુબીઓ.. 

સુનીલ બંસલ
સુનીલ બંસલને ત્રણ સભ્યોની ટીમમાં સ્થાન મળવા પાછળનું સૌથી મોટું કારણ તેમની ચૂંટણી વ્યવસ્થાપન કૌશલ્ય, ભાજપ નેતૃત્વનો તેમના પરનો વિશ્વાસ માનવામાં આવે છે. બંસલે છેલ્લી અનેક મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં ભાજપ માટે રણનીતિ બનાવી છે અને પાર્ટીને મોટી જીત અપાવી છે. 2017 અને 2022ની યુપી વિધાનસભા ચૂંટણી હોય કે 2019ની લોકસભાની ચૂંટણી હોય, પડદા પાછળ રહીને ભાજપને મોટી જીત અપાવવાનો શ્રેય સુનિલ બંસલને જાય છે. આ ચૂંટણીઓમાં તેમની વ્યૂહરચના સામે વિપક્ષી પાર્ટીઓ છલકાતી જોવા મળી હતી અને ભાજપને એકતરફી જીત મળી હતી. અને ઓગસ્ટમાં, તેમને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણાના પ્રભારી રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ત્રણ રાજ્યો એવા છે જ્યાં હાલમાં ભાજપની સરકાર નથી. સપ્ટેમ્બર 2022 માં, સુનીલ બંસલે પશ્ચિમ બંગાળની તેમની પ્રથમ મુલાકાત લીધી હતી, જે પાર્ટીમાં નવી ઊર્જાના ઇન્જેક્શન તરીકે જોવામાં આવી હતી. તે જાણીતું છે કે વર્ષ 2021 માં બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હાર પછી, ભાજપના ઘણા નેતાઓ પાર્ટી છોડીને પાછા TMCમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં સુનીલ બંસલને જવાબદારી સોંપવામાં આવ્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટી બંગાળ માટે મોટી તૈયારીઓ કરી રહી છે. રાજસ્થાનમાં જન્મેલા 53 વર્ષીય સુનીલ બંસલ આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવે છે અને તેમના વિદ્યાર્થી જીવનથી જ સંઘના સંપર્કમાં છે.

તરૂણ ચુગ
તરુણ ચુગ એ બીજેપીના અન્ય નેતા છે જેણે ABVP દ્વારા ભાજપમાં પ્રવેશ કર્યો અને પછી પાર્ટી માટે મહત્વપૂર્ણ નેતા બન્યા. અમૃતસરના વતની 50 વર્ષીય તરુણ ચુગ 2020થી ભાજપના મહાસચિવ અને તેલંગાણાના પ્રભારી છે. તેમના હેઠળ, બંદી સંજય કુમારની આગેવાની હેઠળના રાજ્ય ભાજપ એકમે શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના અગ્રણી નેતા એટાલા રાજેન્દ્રને સામેલ કરીને તેની વ્યૂહરચનાની શક્તિ દર્શાવી. તે જ સમયે, પાર્ટીએ પેટાચૂંટણીમાં બે વિધાનસભા બેઠકો પણ જીતી, અને ડિસેમ્બર 2020 માં ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. પાર્ટીના એક નેતાએ કહ્યું કે જ્યારથી ચુગે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેલંગાણા બીજેપી એકમ દેશના અન્ય એકમો કરતા વધુ સક્રિય થઈ ગયું છે.

વિનોદ તાવડે
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ત્રણ સભ્યોની ટીમમાં વિનોદ તાવડેનું નામ તેમના માટે એક પ્રકારનું પુનરાગમન માનવામાં આવે છે. વાસ્તવમાં, ભાજપ મહાસચિવ તાવડે વર્ષ 2014-2019 દરમિયાન મહારાષ્ટ્રમાં સાઈડલાઈન રહ્યા હતા. હવે ભાજપની નેતાગીરીએ ફરી તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આગામી લોકસભા ચૂંટણી માટે તેમને મોટી જવાબદારી સોંપી છે. ફડણવીસની આગેવાની હેઠળની ભાજપ-શિવસેના ગઠબંધન સરકારમાં, તાવડેએ શાળા શિક્ષણ, તબીબી અને ઉચ્ચ તકનીકી શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ અને મરાઠી ભાષા જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા હતા. પરંતુ 2019 માં, તાવડેને વિધાનસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તે સમયે તાવડેએ કથિત અપમાનને ચૂપચાપ ગળી લીધું અને પક્ષના વફાદારની જેમ તેમના સ્થાને ઉમેદવાર સુનીલ રાણે માટે કામ કરવાનું શરૂ કર્યું. વિનોદ તાવડેએ પણ તેમની કારકિર્દી આરએસએસ સંલગ્ન એબીવીપી સાથે શરૂ કરી હતી. બાદમાં તેઓ એબીવીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news