યુપીનું મુરાદાબાદ વિશ્વનું બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ ધરાવતું શહેરઃ યુએન રિપોર્ટ, જાણો યાદીમાં કયા શહેરો છે?

ઉલ્લેખનીય છે કે, 70 dBથી વધુ સાઉન્ડ ફ્રીક્વન્સી સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વર્ષ 1999માં એક માર્ગદર્શિકામાં રહેણાંક વિસ્તારો માટે 55 dB ની ભલામણ કરી હતી, જ્યારે ટ્રાફિક અને વ્યવસાય ક્ષેત્રો માટે તેની મર્યાદા 70 dB રાખવામાં આવી હતી.

યુપીનું મુરાદાબાદ વિશ્વનું બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ ધરાવતું શહેરઃ યુએન રિપોર્ટ, જાણો યાદીમાં કયા શહેરો છે?

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશનું મુરાદાબાદ શહેર ધ્વનિ પ્રદૂષણની દ્રષ્ટિએ વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર માનવામાં આવે છે. મુરાદાબાદમાં સૌથી વધુ 114 ડેસિબલ્સ (ડીબી) ધ્વનિ પ્રદૂષણ નોંધાયું છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP)ના તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કુલ 61 શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ધ્વનિ પ્રદૂષણની યાદીમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકાનું નામ પ્રથમ સ્થાન પર છે, જેનું સૌથી વધુ 119 ડેસિબલ છે. ઢાકા અને મુરાદાબાદ પછી યાદીમાં ત્રીજા નંબરે પર 105 ડેસિબલ સાથે ઈસ્લામાબાદ છે. આ યાદીમાં દક્ષિણ એશિયાના કુલ 13 શહેરોના નામ છે, જેમાંથી પાંચ શહેરો ભારતના પણ છે. મુરાદાબાદ ઉપરાંત કોલકાતા (89 ડીબી), પશ્ચિમ બંગાળના આસનસોલ (89 ડીબી), જયપુર (84 ડીબી) અને રાજધાની દિલ્હી (83 ડીબી)ના નામ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, 70 dBથી વધુ સાઉન્ડ ફ્રીક્વન્સી સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વર્ષ 1999માં એક માર્ગદર્શિકામાં રહેણાંક વિસ્તારો માટે 55 dB ની ભલામણ કરી હતી, જ્યારે ટ્રાફિક અને વ્યવસાય ક્ષેત્રો માટે તેની મર્યાદા 70 dB રાખવામાં આવી હતી.

UNEPના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈંગર એન્ડરસને જણાવ્યું, "આ ઉચ્ચ ગુણવત્તાની ઊંઘ પર ખરાબ અસર કરીને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે." એટલું જ નહીં, તેનાથી ઘણી પ્રાણીઓની જાતિઓની વાતચીત અને સાંભળવાની ક્ષમતાને પણ અસર કરે છે. એક સત્તાવાર પોલીસ અહેવાલ મુજબ, યુપી પોલીસની ઇમરજન્સી સેવાએ વર્ષ 2021માં ધ્વનિ પ્રદૂષણના 14,000 થી વધુ કેસ નોંધ્યા છે. તેમાંથી સૌથી વધુ ફરિયાદો લગ્નમાં 10 વાગ્યા પછી વગાડવામાં આવતા મોટા લાઉડ મ્યૂઝીક સાથે સંબંધિત છે.

ધ્વનિ પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે?
સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ધ્વનિ પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી આપણા શરીરમાં રિએક્શનની એક પુરી સીરિઝ હોય છે. તેને એરોસલ રિસ્પોન્સ કહેવામાં આવે છે, જે શરીરના વિવિધ અંગોને નુકસાન પહોંચાડી શકે છે. આના કારણે આપણા હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શ્વાસના ધબકારા નોંધપાત્ર રીતે વધી શકે છે. તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ધ્વનિ પ્રદૂષણ આપણી રક્તવાહિનીઓ પર ખરાબ અસર કરી શકે છે. આનાથી આપણા સ્નાયુઓ પર તણાવ પણ વધે છે.

આ સિવાય ધ્વનિ પ્રદૂષણ, નોઈઝ ઈન્ડ્યુસ્ડ હિયરિંગ લોસ (NHIL) ની સમસ્યાને પણ ટ્રિગર કરી શકે છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ઘોંઘાટના સંપર્કમાં રહે છે અથવા થોડા સમય માટે મોટા અવાજના સંપર્કમાં રહે છે. આ મોટા અવાજો આપણા કાનના અંદરના અને સંવેદનશીલ ભાગોને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યા એક અથવા બંને કાનમાં થઈ શકે છે. તમારા કાનને પણ કાયમ માટે નુકસાન થઈ શકે છે. વધુમાં, ધ્વનિ પ્રદૂષણથી હૃદયના રોગો, માઈગ્રેન, ઊંઘની વિકૃતિઓ થઈ શકે છે અને ઉત્પાદક ક્ષમતાને અસર થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news