શું પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાન રાજીનામું આપશે? 'શક્તિ પ્રદર્શન' પહેલા જ કરી નાંખ્યું મોટું કામ કે...

આમ જોવા જઈએ તો, ઇમરાન ખાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું નહીં આપે, પરંતુ પાકિસ્તાનમાં તે જ થાય છે જે સેના ઇચ્છે છે અને હવે અહેવાલો અનુસાર, સેના પ્રમુખ ખાનથી નારાજ છે. બીજી તરફ આજે ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ઈસ્લામાબાદમાં રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.

શું પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાન રાજીનામું આપશે? 'શક્તિ પ્રદર્શન' પહેલા જ કરી નાંખ્યું મોટું કામ કે...

ઈસ્લામાબાદ: વિપક્ષના ચક્રવ્યૂહમાં ફસાયેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન શું આખરે રાજીનામું આપશે? આ સવાલના જવાબ શોધવો ભલે જ મુશ્કેલ હોય, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી લગાવવામાં આવી રહેલી આ અટકળોને ઈમરાનના એક પગલાથી મજબૂતી મળી છે. ઈમરાને શનિવારે વડાપ્રધાન કાર્યાલયની યુટ્યુબ ચેનલનું નામ બદલીને 'ઈમરાન ખાન' કરી દીધું છે. ખાનના આ પગલાને રાજીનામાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે.

આજે શક્તિ પ્રદર્શન કરશે ઈમરાન
આમ જોવા જઈએ તો, ઇમરાન ખાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું નહીં આપે, પરંતુ પાકિસ્તાનમાં તે જ થાય છે જે સેના ઇચ્છે છે અને હવે અહેવાલો અનુસાર, સેના પ્રમુખ ખાનથી નારાજ છે. બીજી તરફ આજે ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ઈસ્લામાબાદમાં રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. ઈમરાનનો દાવો છે કે આ જાહેર સભામાં 10 લાખ લોકો સામેલ થશે.

જાહેર સભાનો આ છે હેતુ
અગાઉ પીટીઆઈએ ખાન વિશે ટ્વીટ કર્યું હતું, 'હું ઈચ્છું છું કે મારા લોકો કાલે પરેડ ગ્રાઉન્ડ પર આવે. કાલે આપણે લોકોનો દરિયો બતાવીશું. ખાને ટ્વિટર પર એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં તેમણે લોકોને રેલીમાં જોડાવા માટે અપીલ કરી હતી. વીડિયોમાં તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. નોંધપાત્ર વાત એ છે કે વિપક્ષ ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે અને એવું માનવામાં આવે છે કે સરકાર પાસે પૂરતા સાંસદોનું સમર્થન નથી. આવી સ્થિતિમાં, ખાન એક વિશાળ રેલી યોજીને બતાવવા માંગે છે કે તેઓ હજુ પણ લોકોમાં લોકપ્રિય છે.

આગામી અઠવાડિયે થશે પ્રસ્તાવ પર મતદાન!
પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ 25 માર્ચે રજૂ કરવાનો હતો, પરંતુ નેશનલ એસેમ્બલીનું સત્ર શુક્રવારે સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે એવી ધારણા છે કે પીએમને આવતા અઠવાડિયે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડી શકે છે. વિપક્ષી પાર્ટીઓ ખાન પર દેશની આર્થિક સ્થિતિ, મોંઘવારી અને ખરાબ શાસનનો આરોપ લગાવી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સેના ઈમરાન ખાનથી નારાજ છે, તેથી તેમની વિદાય નિશ્ચિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news