Video: PM મોદી જોવા મળશે માનવીય પાસું, જે જાગૃત કરશે વન્યપ્રાણી સંરક્ષણને

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (Internation Tiger Day)ના દિવસે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, દેશમાં ગત એક દશકમાં વાઘની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. તે સમયે પ્રકાસ જાવડેકરે કહ્યું કે, પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ અમે આ લક્ષ્યને સમય કરતા 4 વર્ષ પહેલા જ પ્રાપ્ત કર્યું છે.

Video: PM મોદી જોવા મળશે માનવીય પાસું, જે જાગૃત કરશે વન્યપ્રાણી સંરક્ષણને

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (Internation Tiger Day)ના દિવસે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, દેશમાં ગત એક દશકમાં વાઘની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. તે સમયે પ્રકાસ જાવડેકરે કહ્યું કે, પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ અમે આ લક્ષ્યને સમય કરતા 4 વર્ષ પહેલા જ પ્રાપ્ત કર્યું છે. તે સમયે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં પીએમ મોદીના વન્યપ્રાણીના સંરક્ષણ પર જાગૃતતા ફેલાવવા માનવીય પાસાને દર્શાવે છે. તેમાં હવામાન પરિવર્તનના વધતા જતા ખતરા સામે લોકોને ચેતવણી પણ આપે છે.

આ વીડિયો ડિસ્કવરી ચેનલ પર પ્રસિદ્ધ હોસ્ટ બેયર ગ્રિલ્સે જાહેર કર્યો છે. બેયરે Man Vs Wild જેવા લોકપ્રિય શોને હોસ્ટ કરે છે. બેયરે આ સંદર્ભમાં ટ્વિટ કરી કહ્યું, ‘વન્યપ્રાણી સંરક્ષણ અને હવામાન પરિવર્તનના મુદ્દા પર 180 દેશોમાં લોકો પીએમ મોદીના તે પક્ષથી રૂબરૂ થશે જે અત્યાર સુધી સામે આવ્યો નથી.’ આ સાથે જ તેમણે કહ્યું કે, ડિસ્કવરી ઇન્ડિયા પર આ પ્રોગ્રામ 12 ઓગસ્ટની રાત્રે 9 વાગે દેખાળવામાં આવશે.

— Bear Grylls (@BearGrylls) July 29, 2019

વાઘની સંખ્યા બમણી
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) પર જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પ્રસંગે, અમે વાઘની સુરક્ષા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ. વાઘની સંખ્યા વિશે જે આંકડા મળ્યા છે, તેનાથી પ્રત્યેક ભારતીયને ગર્વ થશે. 9 વર્ષ પહેલા એટલે કે 2010માં રૂસના સેન્ટ પીટ્સબર્ગમાં આંતરરાષ્ટ્રીય ભાઈચારો સમક્ષ 2022 સુધી વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. અમે 4 વર્ષ પહેલા જ વાઘને બચાવવાના લક્ષ્યને હાંસલ કર્યો છે. તેમણે કહ્યું કે ભારત વાઘના સંરક્ષણ માટે દુનિયામાં સૌથી સારી જગ્યા છે. વાઘની ગણતરીના સંબંધમાં તેમણે આંકડા જાહેર કરતા કહ્યું કે, 2014માં વાઘની સંખ્યા 2,226 હતી. જે 2018માં વધીને 2967 થઇ ગઇ છે.

તે દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, થોડા વર્ષ પહેલા દેશમાં કુલ 1400 વાઘ જ બચ્યા હતા. પરંતુ વાઘની સંખ્યા વધીને હવે 2967 થઇ ગઇ છે. આ ઘણી ખુશીની વાત છે. તેમણે કહ્યું કે, વાઘની સંખ્યાના સંબંધમાં 3 લાખ 80 હજાર વર્ગ કિમીનો સર્વે થયો. 26 હજાર કેમેરા ટ્રેપ્સ લાગવ્યા હતા. 3.5 લાખ ફોટા આવ્યા અને તેમાં 76 હજાર વાઘના ફોટા આવ્યા.

તેમણે કહ્યું કે, આ કામમાં પીએમ મોદીએ અમને માર્ગદર્શન આપ્યું. પરિણામ ગત 5 વર્ષમાં વન ક્ષેત્ર વધુ છે. 15 હજાર વર્ગ કિમીથી વધારે ફોરેસ્ટ કવર વધ્યું છે. બધા જીવન પ્રાણી આપણા જીવનનો ભાગ છે. આજે સમગ્ર દુનિયા સલામ કરશે કે વાઘના વિકાસનું આટલું મોટું કામ ભારતે કર્યું છે. વાઘની ગણતરીનો અહેવાલ દર 4 વર્ષે કરવામાં આવે છે. અગાઉ ગણતરી વર્ષ 2014માં થઇ હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news