National Herald case: 'ઈન્દિરા ગાંધીની વહુ છું, કોઈનાથી ડરતી નથી', ED ઓફિસ પહોંચ્યા સોનિયા ગાંધી

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને ઈડીએ આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. સોનિયા ગાંધીની પૂછપરછને મુદ્દે આજે કોંગ્રેસના સંસદથી રસ્તાઓ સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. કોંગ્રેસના અનેક મોટા નેતાઓ ઈડી ઓફિસ પહોંચ્યા છે. સોનિયા ગાંધીએ પોતાના નિવાસ સ્થાન 10 જનપથથી નીકળતા પહેલા મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ ઈન્દિરા ગાંધીની વહુ છે અને કોઈનાથી ડરતા નથી. 

National Herald case: 'ઈન્દિરા ગાંધીની વહુ છું, કોઈનાથી ડરતી નથી', ED ઓફિસ પહોંચ્યા સોનિયા ગાંધી

National Herald case: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને ઈડીએ આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. સોનિયા ગાંધીની પૂછપરછને મુદ્દે આજે કોંગ્રેસના સંસદથી રસ્તાઓ સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. કોંગ્રેસના અનેક મોટા નેતાઓ ઈડી ઓફિસ પહોંચ્યા છે. સોનિયા ગાંધીએ પોતાના નિવાસ સ્થાન 10 જનપથથી નીકળતા પહેલા મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ ઈન્દિરા ગાંધીની વહુ છે અને કોઈનાથી ડરતા નથી. 

— Zee News (@ZeeNews) July 21, 2022

CM ગેહલોતે કર્યા આકરા પ્રહાર
આ મુદ્દે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ઈડીએ ગત વખતે રાહુલ ગાંધીને બોલાવ્યા અને 50 કલાક સુધી પૂછપરછ કરી. આજે ઈડીએ સોનિયા ગાંધીને બોલવ્યા છે. દુનિયા જાણે છે કે સોનિયા ગાંધી ત્યાગની મૂર્તિ છે. તેમણે પ્રધાનમંત્રી પદ ઠુકરાવ્યું. જેમણે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીની શહાદત જોઈ હોય. તેવી મહિલાને પરેશાન કરવામાં આવી રહ્યા છે. સરકારને શરમ આવવી જોઈએ. તેમને આ ઉંમરમાં પૂછપરછ માટે બોલવવામાં આવ્યા છે. પરંતુ જો કઈ પૂછવું જ હતું તો ઉંમર અને સ્વાસ્થ્ય મુજબ ઘરે જઈને પૂછી શકતા હતા. 

ઈડીની કાર્યવાહી પર ભાજપ કોંગ્રેસ આમને સામને
સોનિયા ગાંધી પર ઈડીની કાર્યવાહી અંગે  ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. જ્યાં કોંગ્રેસ એકબાજુ કેન્દ્ર સરકાર પર ઈડીનું રાજકીય રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે ત્યાં ભાજપનું કહેવું છે કે તપાસ એજન્સી પોતાનું કામ કરે છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે આજે સોનિયા ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ થવાની છે. તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી સત્યાગ્રહ કરશે. આ સત્યાગ્રહ નહીં પરંતુ દેશ અને દેશના કાયદા, દેશની સંસ્થાઓ વિરુદ્ધ દુરાગ્રહ છે. બીજી બાજુ કોંગ્રેસે પણ આ મુદ્દે સદનમાં ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. 

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ મામલે આરોપી છે અને તેઓ બંને જામીન પર છે. તેમના પર ફ્રોડનો આરોપ છે. તેમણે કહ્યું કે એકબાજુ અમે છીએ કે જે કાયદાનું, સંસ્થાઓનું સન્માન કરીએ છીએ. બીજી બાજુ તેમનું આચરણ જૂઓ. તેમના મુખ્યમંત્રી દિલ્હીમાં બેઠા છે. બધા એમપી સદન છોડીને, તેમના સમર્થનમાં ઈડી અને અન્ય સંસ્થાઓનું મનોબળ તોડી રહ્યા છે. ગેરકાયદેસર રીતે નેશનલ હેરાલ્ડની બધી સંપત્તિ યંગ ઈન્ડિયાને આપી દેવાઈ. નેશનલ હેરાલ્ડ પાસે હજારો કરોડની સંપત્તિ છે. અનેક શહેરોમાં આ સંપત્તિ છે. જેની જમીનને કોંગ્રેસ સરકારોએ સસ્તા ભાવે આપી. તેનાથી હજારો કરોડનું ભાડું આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news