અયોધ્યા : રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 એ કેમ? જાણો કારણ

આ તારીખ અને મુહર્ત ની અંદર બહુ મોટા રહસ્યો છુપાયેલા છે. જો રામ મંદિરની સ્થાપના અંગે મુહૂર્તની વાત કરીએ તો આનાથી શ્રેષ્ઠ મુહૂર્ત કદાપી નીકળી ન શકે. સત્ય જાણશો તો ચોકી જશો. 

અયોધ્યા :  રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 એ કેમ? જાણો કારણ

અમદાવાદઃ    અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ રામાયણ અનુસાર ભગવાન શ્રીરામનો જન્મ મહારાજ દશરથને ત્યાં અયોધ્યામાં થયો હતો. તે જ સ્થળે અયોધ્યામાં રામ મંદિરમાં  22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે શુભ મુહૂર્ત નક્કી કરેલ છે. જેનું રહસ્ય અનોખું છે. આ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે  હિન્દુઓની આસ્થા ભગવાન શ્રીરામમાં હજારો વર્ષથી છે. અયોધ્યાનું આ સ્થળ ભારતમાં ખૂબ જ વિવાદિત રહ્યું છે. છેલ્લા 600 વર્ષથી આ રામ મંદિરનો વિવાદ ચાલતો હતો. જેનો સુખદ અંત કોર્ટની મદદથી આવ્યો હતો.
 
હવે તે જ સ્થળે ભગવાન શ્રીરામના મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે રાખેલ છે. આ દિવસ તેનું અનોખું મહત્વ અને રહસ્ય ધરાવે છે દોસ્તો  કોઈપણ વસ્તુ વિના સંસાર માં વિના કારણે થતી નથી.

 જો  22 જાન્યુઆરી ના દિવસ પસંદગી ના આ કારણ ને જાણશો તો આપ પણ ચોકી જશો  વિના કારણે આ દિવસ આવ્યો નથી અને આ દિવસ આવ્યો છે તો પરિણામ પણ અનોખું મળવાનું છે અહી જ્યોતિષ શાસ્ત્ર તેમજ હિન્દુ ધર્મ શાસ્ત્ર વગેરે ની મહાનતા છતી થાય છે 

અંક શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ 22 ,1,  2024 ની તો તેમાં અનોખું રહસ્ય છે. સૌથી પહેલા વાત કરીએ 22 તારીખની જેમાં 2+2=4 ચારના અંકને રાહુલનો અંક કહેવામાં આવે છે રાહુ માયાજાળનું ગ્રહ છે અણધારી બાબતોનો ગ્રહ છે. 

જેમકે ભગવાન શ્રી રામ મંદિરનો વિવાદ અનિશ્ચિત અને અણધારી બાબત હતી. હવે વાત કરીએ 22 ,1,2024 જો સમગ્ર નું ટોટલ મારીએ તો પણ 13 થાય 2+2+1+2+2+4= 13 એટલે 1+3=4 રાહુ નો અંક આમ 22 તારીખમાં પણ 4, રાહુ નો અંક છે અને અને સમગ્ર તારીખ મહિનો અને વર્ષનું ટોટલ મારીએ તો પણ અંક 4, છે જે રાહુ નો છે.

વાત અહીંયા થી સમાપ્ત થતી નથી અહીં શનિ ગ્રહનું પણ યોગદાન લેવાયેલું છે. 22 તારીખ નો 4 + 4 આખા વર્ષનું ટોટલ= 8 જેને શનિનો અંક કહેવામાં આવે છે. 

જેનું મહત્વ લેવું જરૂરી છે. જો ભારતમાં કોઈ પણ મહત્વ નું કાર્ય સરળતાથી સફળ બનાવવું હોય તો શનિનો સાથ લેવો અનિવાર્ય છે તો વિના કાર્ય પૂર્ણ થાય નહિ  કેમકે ભારત આઝાદ થયું 15,8 (ઓગષ્ટ)1947  તેમાં પણ શનિ નો રોલ છે કેમ કે 1+5+8+1+9+4+7= 35 તેથી 3+5= 8 જે શનિ નો છે જેથી ભારત શનિ પ્રધાન દેશ ગણાય છે અને આમ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો 
 આઝાદ ભારતની વૃષભ લગ્ન કુંડળીમાં શનિ ગ્રહ ને યોગી ગ્રહ ગણવામાં આવે છે સૌથી શ્રેષ્ઠ અને શુભ ફળ આપતો ગ્રહ તેમજ રાજા ગણાય છે  આમ  આ તારીખ ની અંદર પણ ભારતની સાથે ઋણાનું બંધન જોડાયેલું છે 

 બીજું 8 નો અંક શનિનો છે જેનાથી બીજી એક વાત સ્થાપિત થાય છે કે આજે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થઈ રહી છે તે હિન્દુઓના અતિ પ્રાચીન અને પૌરાણિક ભગવાન છે શેની તમામ જૂની અને પુરાની બાબતોનો ગ્રહ છે માટે તે પણ આ કાર્ય માટે ખૂબ સાનુકૂળ કહેવાય માટે આ તારીખનું બળ અને ઘણું વધી જાય છે 

હવે સૌથી મહત્વની વાત અત્યારે હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમને હાથે આ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે તેમનો પણ યોગ કેમ તેમના નંબર પણ સાથ આપવા જરૂરી છે તેમનો જન્મ 17 સપ્ટેમ્બર ના રોજ થયો છે 17 તારીખ  માં  1+7= 8 જે પણ શનિ નો છે જે આ તારીખ તેમને  માટે અને રામ મંદિર પ્રતિષ્ઠા ના કાર્ય માટે પણ શ્રેષ્ઠ રહી શકે છે  એટલે આ તારીખ બહુ સમજી વિચારીને પસંદ થઈ હોય કે આવી હોય જે કંઈ પણ બન્યું હોય કે ભગવાન શ્રીરામની
પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું હોય કે આંકડાઓની માયાજાળ ઘણો કે કંઈ પણ રહસ્યમય બાબત કે જે 600 વર્ષથી જેનો ઉકેલ ન હતો. તે નિર્વિઘ્ને પૂર્ણ થાય શાંતિથી આનંદથી અને તે કાર્ય સંપન્ન થાય તે જ આ તારીખના મુહૂર્ત આંકડા અને અંકોની કમાલ છે

ભૂતકાળમાં આ તારીખ ડિક્લેર થયા પહેલા જેની કલ્પના કોઈપણ ન કરી શકે તેવી જ શ્રી રામ મંદિર ની બાબત એક પ્રમાણે માયાવી અને અતિ પ્રાચીન ગણી શકાય તેવી હતી જેનું સુખદ ઉકેલ આ તારીખે આવે અને કાર્ય સંપન્ન થાય જે શ્રેષ્ઠ ગણાય 

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news