Ration Card Rules: આ લોકો વિચાર્યા વિના સરેન્ડર કરી દે રાશન કાર્ડ, નહી મુશ્કેલીમાં મુકાશો

Ration Card Scheme Update: જો અપાત્ર લોકો મફત રાશનનો લાભ લે તો સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ માટે સરકાર સમયાંતરે લોકોને તેમના રેશનકાર્ડ સરેન્ડર કરવા અથવા તેને રદ કરાવવાની અપીલ પણ કરે છે.

Ration Card Rules: આ લોકો વિચાર્યા વિના સરેન્ડર કરી દે રાશન કાર્ડ, નહી મુશ્કેલીમાં મુકાશો

Ration Card Latest News: જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે સરકાર તરફથી મળનાર મફત રાશન યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તો આ સમાચાર તમારા કામના છે. તમને રાશન કાર્ડ સાથે જોડાયેલા નિયમો વિશે ખબર હોવી જોઇએ. કેન્દ્ર સરકાર તરફથી કોરોના કાળથી જ કરોડો રાશન કાર્ડ ધારકોને ફ્રી રાશનની સુવિધા આપવામાં આવી રહી છે. ગત થોડા દિવસોથી સરકાર તરફથી 'ફ્રી રાશન યોજના' ને ડિસેમ્બર 2023 સુધી લંબાવવમાં આવી હતી. સરકાર તરફથી થોડા દિવસો પહેલાં કાર્ડ ધારકો માટે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી. 

સરકાર તરફથી થઇ શકે છે કાર્યવાહી
સરકારની જાણકારીમાં એ પણ આવ્યું છે કે મોટી સંખ્યામાં અપાત્ર લોકો ફ્રી મળનાર ચોખા અને ઘઉંનો ફાયદો ઉઠાવી રહ્યા છો. એવામાં અપાત્ર લોકો પોતાના રાશન કાર્ડને સરેંડર કરી શકો છો. અપાત્ર લોકોને મફત રાશનનો ફાયદો લેવા પર સરકાર તરફથી કાર્યવાહી કરી શકાય છે. તેના માટે સરકાર તરફથી સમયાંતરે લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે તે પોતે પોતાના રાશન કાર્ડ સરેંડર કરી દે અથવા રદ કરાવી દે. આવો જાણીએ નિયમોનુસાર એવા કયા લોકો છે જે યોજના અંતગર્ત અપાત્ર છે અને તેમને પોતાના રાશન કાર્ડ સરેંડર કરી દેવા જોઇએ. 

શું છે નિયમ
જો તમે રેશનકાર્ડ સરેન્ડર નહીં કરો તો વેરિફિકેશન પછી ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ તમારું રેશન કાર્ડ રદ કરી શકે છે. એટલું જ નહીં આવા લોકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે. ખાદ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જો કોઈ કાર્ડ ધારક પાસે પોતાની આવકમાંથી 100 ચોરસ મીટરનો પ્લોટ/ફ્લેટ અથવા મકાન હોય, તો તે મફત રાશન યોજના માટે અયોગ્ય છે. આ સિવાય જો કોઈની પાસે વ્હીલર/કાર/ટ્રેક્ટર, આર્મ્સ લાયસન્સ, ગામડામાં 2 લાખ રૂપિયાથી વધુ અને શહેરમાં 3 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક હોય તો આવા લોકોએ તાલુકા અથવા DSO ઑફિસમાં રેશન કાર્ડ સરેન્ડર કરવું પડશે.

જો રેશનકાર્ડ ધારક કાર્ડ સરેન્ડર નહીં કરે તો તપાસ બાદ આવા લોકોના કાર્ડ રદ કરવામાં આવશે. જોકે ગ્રામીણ વિસ્તારો ઉપરાંત  શહેરી વિસ્તારોમાં પણ એવા લોકોને પણ APL અને BPL રેશનકાર્ડ બનાવ્યા છે જે સંપૂર્ણપણે સંપન્ન છે.  તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણા પાત્ર પરિવારોના હજુ સુધી રેશનકાર્ડ બન્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news