મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજસિંહ ચૌહાણનાં પિતાનું મુંબઇમાં નિધન

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનાં પિતા પ્રેમ સિંહ ચૌહાણનું શનિવારે નિધન થઇ ગયું. તેઓ અનેક દિવસથી બિમાર હતા, ત્યાર બાદ તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તેઓ 85 વર્ષનાં હતા. પિતાનાં નિધનની માહિતી મળતા જ શિવરાજ સિંહ ચૌહાણ મુંબઇ રવાના થઇ ગયા હતા. ભાજપનાં અનેક નેતાઓએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું કે, સાંસદ રીતિ પાઠકે ટ્વીટ કરીને શિવરાજનાં પિતાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો. 
મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજસિંહ ચૌહાણનાં પિતાનું મુંબઇમાં નિધન

નવી દિલ્હી : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનાં પિતા પ્રેમ સિંહ ચૌહાણનું શનિવારે નિધન થઇ ગયું. તેઓ અનેક દિવસથી બિમાર હતા, ત્યાર બાદ તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તેઓ 85 વર્ષનાં હતા. પિતાનાં નિધનની માહિતી મળતા જ શિવરાજ સિંહ ચૌહાણ મુંબઇ રવાના થઇ ગયા હતા. ભાજપનાં અનેક નેતાઓએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું કે, સાંસદ રીતિ પાઠકે ટ્વીટ કરીને શિવરાજનાં પિતાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો. 

— Rakesh Singh (@MPRakeshSingh) May 25, 2019

રાકેશ સિંહે લખ્યું કે, પ્રેમ સિંહ ચૌહાણનું નિધન દુખદ સમાચાર મળ્યું, ઇશ્વર તેમની આત્માને શાંતિ અર્પે અને શિવરાજ સિંહ ચૌહાણ અને તેના પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ આપે. મધ્યપ્રદેશ ભાજપના અધ્યક્ષ રાકેશ સિંહે પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજ સિંહ ચૌહાણનાં પિતાનાં નિધનનાં દુખદ સમાચાર મળ્યા. ઇશવર દિવંગત આતમાને શ્રીચરણોમાં સ્થાન આપે. આ દુખની ઘડીમાં શિવરાજજીનાં પરિવારજનો સાથે સહભાગી છું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, શિવરાજસિંહ ચૌહાણનાં પિતાની તબિયત ખરાબ હોવા છતા પણ તેઓ ચૂંટણી પ્રચારમાં ખુબ જ એક્ટિવ જોવા મળ્યા હતા. મધ્યપ્રદેશ વિધાનસભામાં પાતળી સરસાઇથી સરકારથી દુર રહેલ ભાજપે લોકસભામાં ખુબ જ સારુ પ્રદર્શન કર્યું હતું. 28 પર કબ્જો કર્યો હતો. જેમાં શિવરાજ સિંહ ચૌહાણનો પણ સિંહ ફાળો રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news