677 વર્ષ પછી બની રહ્યો છે શનિ-ગુરુનો મહાસંયોગ, ફટાફટ આ દિવસે ખરીદી કરી લેજો, નહીં તો પાછળથી... 

જ્યોતિષના મતે ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગ્રહોની આવી સ્થિતિ 677 વર્ષ પછી બની રહી છે. અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ આ સમયને વધુ શુભ બનાવશે.

  • લોકો ધનતેરસ અને દિવાળીની તૈયારી માટે ખરીદી જોરશોરથી કરી રહ્યા છે.
  • 28 ઓક્ટોબર, ગુરુવાર ખૂબ જ મોટો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે.
  • આ દિવસે પુષ્ય નક્ષત્ર હશે અને ગુરુ શનિનો દુર્લભ સંયોગ થશે. જ્યોતિષના મતે ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગ્રહોની આવી સ્થિતિ 677 વર્ષ પછી બની રહી છે.

Trending Photos

677 વર્ષ પછી બની રહ્યો છે શનિ-ગુરુનો મહાસંયોગ, ફટાફટ આ દિવસે ખરીદી કરી લેજો, નહીં તો પાછળથી... 

Shopping muhurat before Dhanteras 2021: હાલ તહેવારોની સીઝન બરાબરની જામી છે. લોકો ધનતેરસ અને દિવાળીની તૈયારી માટે ખરીદી જોરશોરથી કરી રહ્યા છે. આવા લોકો માટે 28 ઓક્ટોબર, ગુરુવાર ખૂબ જ મોટો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર હશે અને ગુરુ શનિનો દુર્લભ સંયોગ થશે. જ્યોતિષના મતે ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગ્રહોની આવી સ્થિતિ 677 વર્ષ પછી બની રહી છે. અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ આ સમયને વધુ શુભ બનાવશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દિવાળી પહેલા કારતક કૃષ્ણ પક્ષના આગામી પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં નવી વસ્તુઓ લાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. શનિદેવ પુષ્ય નક્ષત્રના સ્વામી છે. એવી માન્યતાઓ છે કે શનિના નક્ષત્રમાં પ્રાપ્ત શુભ પરિણામ લાંબા સમય સુધી રહે છે. જ્યોતિષીઓ કહી રહ્યા છે કે પુષ્ય નક્ષત્ર પર મકર રાશિમાં શનિ-ગુરુનો આવો સંયોગ 677 વર્ષ પહેલા 5 નવેમ્બર 1344ના રોજ બન્યો હતો. 

Vadodara: આરોપી સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમના રીમાંડ દરમિયાન અનેક મોટા ખુલાસા

આ વર્ષે ગુરુ શનિના સ્વામિત્વવાળી રાશિ શનિની સાથે મકર રાશિમાં બેસે છે. બંને ગ્રહોની ચાલ સીધી છે અને આ ગ્રહો પર ચંદ્રની પણ દ્રષ્ટિ હશે, જેના કારણે ગજકેસરી યોગ પણ બનવા જઈ રહ્યો છે. ચંદ્ર ધનનો કારક છે અને ગજકેસરી યોગ ગુરુ સાથે તેના સંયોગથી રચાય છે, જે લોકો માટે ભાગ્યોદય લાવે છે.

આ શુભ અવસર પર રોકાણ કરવું ખૂબ જ ફળદાયી બની શકે છે, જેનો લાભ તમને લાંબા સમય સુધી મળશે. ગુરુ અને શનિ વચ્ચે પણ કોઈ શત્રુતા નથી, તેથી ગુરુવારનો દિવસ અને પુષ્ય નક્ષત્ર તેની શુભતામાં વધારો કરશે. જો કે, ઘર, મકાન, જમીન અથવા જીવન વીમા જેવી પોલિસીમાં રોકાણ કરતા પહેલા તમારા શુભેચ્છકોની સલાહ જરૂર લો.

અરે બાપ રે! Sunil Groverએ પાર્ટીમાં આ શું કરી નાખ્યું? લોકોએ બરાબરનો ઉધડો લીધો

પુષ્ય નક્ષત્રમાં શું ખરીદવું?
પુષ્ય નક્ષત્ર પર લોકો પોતાની જરૂરિયાત મુજબ વસ્તુઓ ખરીદી શકે છે. તમે ઘરે નવા કપડાં, અનાજ, ફૂટવેર અથવા અન્ય કોઈ જરૂરી વસ્તુ લાવી શકો છો. આ સમય દરમિયાન ધનનું દાન કરવું પણ ખૂબ જ શુભ છે. તમે ગૌશાળામાં લીલા ઘાસનું દાન પણ કરી શકો છો. આ શુભ મુહૂર્તમાં ભગવાન શિવને પ્રસન્ન કરવાથી તમે ભાગ્યશાળી બની શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news