Internet વગર મોબાઈલ પર જોઈ શકશો તમારો પસંદગીનો TV Show, IIT કાનપુરે કરી આ તૈયારી

ટૂંક સમયમાં ટીવી ચેનલો ઇન્ટરનેટ વિના પણ મોબાઈલ પર જોઈ શકાશે. આઈઆઈટી કાનપુર (IIT Kanpur) અને પ્રસાર ભારતી નેક્સ્ટ જનરેશન બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી પર એક સાથે કામ કરવા જઈ રહ્યા છે, જે પૂર્ણ થવા પર 4G અને 5G સ્પેક્ટ્રમની જરૂર રહેશે નહીં

Internet વગર મોબાઈલ પર જોઈ શકશો તમારો પસંદગીનો TV Show, IIT કાનપુરે કરી આ તૈયારી

કાનપુર: ટૂંક સમયમાં ટીવી ચેનલો ઇન્ટરનેટ વિના પણ મોબાઈલ પર જોઈ શકાશે. આઈઆઈટી કાનપુર (IIT Kanpur) અને પ્રસાર ભારતી નેક્સ્ટ જનરેશન બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી પર એક સાથે કામ કરવા જઈ રહ્યા છે, જે પૂર્ણ થવા પર 4G અને 5G સ્પેક્ટ્રમની જરૂર રહેશે નહીં. તમે સીધુ બ્રોડકાસ્ટિંગ સ્પેક્ટ્રમ દ્વારા મોબાઇલ પર ટીવી ચેનલો જોઈ શકશો.

સેન્ટર ઓફ એક્સેલન્સનું થશે નિર્માણ
આ સંદર્ભમાં IIT કાનપુરએ પ્રસાર ભારતી સાથે એક કરાર (MoU) પર હસ્તાક્ષર પણ કર્યા છે. ટૂંક સમયમાં આઇઆઇટીમાં સેન્ટર ઓફ એક્સેલન્સની (Center of Excellence) સ્થાપના કરવામાં આવશે. ડિરેક્ટર પ્રો. અભય કરંદીકરે કહ્યું કે લોકો હવે મોબાઈલ, ટેબ્લેટનો ઘણો ઉપયોગ કરે છે, મૂવીઝ, સિરિયલ, ન્યૂઝ ચેનલો જોવા માટે રોજનો ઘણો ડેટા ખર્ચ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, દર્શકોનો ડેટા ખર્ચ થતો નથી અને તેઓ ટીવી ચેનલો જોતા રહે છે, આ માટે ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી રહી છે. પ્રસાર ભારતી આર્થિક મદદ કરશે.

સ્પેક્ટ્રમ અને બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજીમાં શું તફાવત?
IIT કાનપુરના ડિરેક્ટર અભય કરંદીકરે કહ્યું કે, 'સ્પેક્ટ્રમ વિવિધ પ્રકારની ફ્રીક્વન્સીઝનો સમૂહ છે, જેના પર ડેટા કમ્યુનિકેશન કરે છે. સ્પેક્ટ્રમનો ઉપયોગ આ વાત પર નિર્ભર કરે છે કે ફ્રીક્વન્સીઝ કેટલી છે, તેની વેવલેન્થ કેટલી છે, અને કેટલી દૂર સુધી ઉર્જા લઈ જઈ શકે છે. મોબાઈલ જેવા ડિવાઈસ સ્પેક્ટ્રમના અનુસાર જ કાર્ય કરે છે. જેમ જેમ ફ્રીક્વન્સીઝ વધતી જાય છે ડેટાના ટ્રાન્સફર એટલી જ ઝડપથી થાય છે. જ્યારે બ્રોડકાસ્ટમાં ડેટાના પહેલા એક સિગ્નલ સુધી મોકલવામાં આવે છે. પછી ત્યાંથી સમગ્ર વિસ્તારમાં એક સાથે ટ્રાન્સફર કરવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, 'બ્રોડકાસ્ટમાં એક જ ડેટા ઘણા સ્થળોએ સમાન ફ્રીક્વન્સી સાથે ચાલે છે. જ્યારે મોબાઈલમાં જે ફ્રીક્વન્સી કામ કરવાની છે તે અલગ-અલગ હોય છે. જ્યારે પણ આપણે કેટલીક તકનીકી ગડબડી આવે છે તો અમે જોઇએ છીએ કે મોબાઈલ ક્યાંક કનેક્ટ થવાને બદલે અન્ય ક્યાંક કનેક્ટ થઈ જાય છે. આ ફ્રીક્વન્સીના બગડવા પર જ થયા છે. જ્યારે બ્રોડકાસ્ટમાં એક જ વસ્તુ અનેક સ્રોતો પર પ્રસારિત થાય છે. તેથી જ તે વધુ સારું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news