Astro Tips: આ 5 માંથી કોઈ એક ફૂલ માતા લક્ષ્મીને પૂજા દરમિયાન કરો અર્પણ, તિજોરી ક્યારેય ખાલી નહીં રહે

Astro Tips: માતા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. લક્ષ્મી પૂજા દરમિયાન તેમને કેટલાક ખાસ ફૂલ અર્પણ કરવાથી તેઓ શીઘ્ર પ્રસન્ન થાય છે. સાથે જ તે વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ધનના દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે તેમના મનપસંદ ફૂલ તેમને ચઢાવી શકો છો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. 

માતા લક્ષ્મીના પ્રિય ફૂલ

1/7
image

હિન્દુ ધર્મમાં દરરોજ ભગવાનની પૂજા કરવાની પરંપરા છે. પૂજા દરમિયાન ભગવાનને ફૂલ પણ ચઢાવવામાં આવે છે. ભગવાનને તેમના મનપસંદ ફૂલ ચઢાવવામાં આવે તો તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. આજે અમે તમને જણાવીએ ધનના દેવી લક્ષ્મીજીના પ્રિય ફૂલ કયા કયા છે. 

કમળ

2/7
image

દેવી લક્ષ્મી કમળ પર બિરાજમાન હોય છે. કમળનું ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.

જાસૂદ

3/7
image

લાલ રંગનું જાસૂદનું ફૂલ પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે.  આખા વર્ષ દરમિયાન આ ફૂલો મળી રહે છે. દેવી લક્ષ્મીને જાસૂદના ફૂલ ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

પારિજાતના ફૂલ

4/7
image

પારિજાતના ફૂલો નાના અને સફેદ રંગના હોય છે. તેમાંથી મીઠી સુગંધ આવતી હોય છે. એવું કહેવાય છે કે જો તમે તેને ઘરમાં વાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરો છો તમારા ઘરમાં ધનના ભંડાર ભરાય છે. 

અપરાજિતા ફૂલ

5/7
image

અપરાજિતાના ફૂલો દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. આ ફૂલો ભગવાન શંકર અને દેવી લક્ષ્મી બંનેને ખૂબ પ્રિય છે.  દેવી લક્ષ્મીને આ ફૂલ અર્પણ કરવાથી ક્યારેય કરજ કરવું પડતું નથી. 

કરેણના ફૂલ

6/7
image

કરેણના ફૂલ અલગઅલગ રંગના હોય છે. પરંતુ દેવી લક્ષ્મીને સફેદ કરેણના ફૂલ ખૂબ જ પ્રિય હોય છે. પૂજામાં આ ફૂલનો ઉપયોગ કરવાથી ઘરમાં પૈસાની તંગી સર્જાતી નથી. 

7/7
image