Budget 2024: કેન્દ્રીય બજેટમાં કૃષિ સેક્ટર અને દેશના અન્નદાતાઓ માટે શું કરાઈ છે જાહેરાતો? ખાસ જાણો

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજુ કરી રહ્યા છે. બજેટમાં 9 સેક્ટરો પર  ફોક્સ કરવામાં આવ્યું છે. જેમાંનું પહેલું છે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ. કૃષિમાં ઉત્પાદકતા અને લચીલાપણા પર સરકારનું ફોકસ છે.

1/7
image

કૃષિમાં ઉત્પાદકતા અને લચીલાપણા પર સરકારનું ફોકસ છે. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણની શરૂઆત કરતા કહ્યું કે લોકોને અમારી નીતિઓ પર ભરોસો છે. ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. દેશમાં મોંઘવારી દર નિયંત્રણમાં છે. ભારતમાં મોંઘવારી દર લગભગ 4 ટકા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા મુશ્કેલ દોરમાં છે. પરંતુ ભારતની અર્થવ્યવસ્થા ચમકી રહી છે. હવે આ વખતના બજેટમાં દેશના અન્નદાતાઓ વિશે શું જાહેરાત કરવામાં આવી છે તે પણ ગ્રાફીક્સની મદદથી જાણી લો. 

2/7
image

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજુ કરી રહ્યા છે. બજેટમાં 9 સેક્ટરો પર  ફોક્સ કરવામાં આવ્યું છે. જેમાંનું પહેલું છે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ. કૃષિમાં ઉત્પાદકતા અને લચીલાપણા પર સરકારનું ફોકસ છે.

3/7
image

નાણામંત્રીએ કહ્યું કે સરકાર નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપશે. દેશભરમાં જે પણ ગ્રામ પંચાયત આ યોજનાને લાગૂ કરવા માંગશે તેમને પ્રોત્સાહન અપાશે. 

4/7
image

કિસાન ક્રેડિટ કાર્ડ વધુ 5 રાજ્યોમાં લાગૂ કરાશે.   

5/7
image

ખેડૂતોની જમીનને ફાર્મર લેન્ડ રજિસ્ટ્રી હેઠળ લાવવામાં આવશે. 

6/7
image

આ સાથે જ સરકાર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા  પર કામ કરશે. 400 જિલ્લાઓને તેના દાયરામાં લાવવામાં આવશે.   

7/7
image

દાળ અને કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે જેથી કરીને આ મામલે આત્મનિર્ભરતા વધે.