Photos : શાહી શોખથી ભરેલી હતી અરુણ જેટલીની લાઈફ, બોલિવુડના એક હીરોના આશિક હતા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે દિલ્હી સ્થિત એઈમ્સમાં નિધન થયું છે. 66 વર્ષે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સમાં એડમિટ હતા. શનિવારે બપોરે 12.07 મિનિટે તેમનું નિધન થયું હતું. ફાઈનાન્સ મંત્રી રહેલા અરુણ જેટલીએ દેશ માટે નોટબંધીથી લઈને જીએસટી લાગુ કરવા જેવા અનેક મહત્વના નિર્ણયો લીધા છે. એટલું જ નહિ, વિદ્યાર્થી જીવનમાં પણ તેમણે ઈમરજન્સી દરમિયાન સરકાર સામે મોરચો માંડ્યો હતો. આજે અમે તમને અરુણ જેટલી સાથે જોડાયેલી કેટલી અજાણી વાતો જણાવીશું. 

નવી દિલ્હી :પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે દિલ્હી સ્થિત એઈમ્સમાં નિધન થયું છે. 66 વર્ષે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સમાં એડમિટ હતા. શનિવારે બપોરે 12.07 મિનિટે તેમનું નિધન થયું હતું. ફાઈનાન્સ મંત્રી રહેલા અરુણ જેટલીએ દેશ માટે નોટબંધીથી લઈને જીએસટી લાગુ કરવા જેવા અનેક મહત્વના નિર્ણયો લીધા છે. એટલું જ નહિ, વિદ્યાર્થી જીવનમાં પણ તેમણે ઈમરજન્સી દરમિયાન સરકાર સામે મોરચો માંડ્યો હતો. આજે અમે તમને અરુણ જેટલી સાથે જોડાયેલી કેટલી અજાણી વાતો જણાવીશું. 

તિહાર જેલમાંથી રાજકીય કરિયરની શરૂઆત

1/10
image

આપાતકાળ દરમિયાન સરકારની વિરુદ્ધ મોરચો માંડ્યા બાદ જેટલીને લાંબા સમય જેલમાં પસાર કરવા પડ્યા હતા. આ દરમિયાન તેમણે તિહાર અને અંબાલા જેલમાં કેદી બનાવીને રાખવામાં આવ્યા હતા. ઈમરજન્સી દરમિયાન તેમણે 1975થી 1977ની વચ્ચે અંદાજે 19 મહિના મીસા અંતર્ગત જેલમાં રહેવા પડ્યું હતું. 

 

મોટા વાળ અને જ્હોન લેનન જેવા ચશ્મા

2/10
image

અરુણ જેટલીએ પોતાનો સ્કૂલી અભ્યાસ દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને ગ્રેજ્યુએશન શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી કર્યું હતું. તે જમાનામાં જેટલીના વાળ લાંબા હતા અન તેઓ બીટલ્સવાળા જ્હોન લેલનની સ્ટાઈલના ચશ્મા પહેરતા હતા. તેઓ જોવામાં પણ બહુ જ સ્માર્ટ લાગતા હતા. જેને કારણે કોલેજમાં તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હતા, પોતાના અલગ અંદાજને કારણે બહુ જ ફેમસ રહેતા. તેમના ચશ્માની બનાવટ ગોળ હોવાને કારણે કેટલાક લોકો તેમના ચશ્માને ગાંધી ગોગલ્સ પણ કહેતા હતા. 

વિદ્યાર્થી જીવનમાં શરમીલા હતા જેટલી

3/10
image

જેટલીના નજીકના મિત્રો બતાવે છે કે, તેઓ વિદ્યાર્થી જીવનમાં બહુ જ શરમીલા રહેતા હતા. સ્ટુડન્ટ્સ લાઈફમાં તેઓ અનેક યુવતીઓમાં ફેમસ હતા. તેઓ કોઈની સાથે વધુ વાત કરતા ન હતા. જ્યારે યુવતીઓ તેમની પાસે વાત કરવા આવે તો તેઓ ત્યાંથી જતા રહેતા હતા. આમ તો ડિબેટ્સમાં તેઓ કલાકો સુધી વાત કરી લેતા હતા, પરંતુ તેના બાદ ત્યાંથી તરત નીકળી જતા હતા. 

દેવાનંદના દીવાના હતા જેટલી

4/10
image

જેટલીના નજીકના લોકો જણાવે છે કે, તેમણે ફિલ્મ જોવાનો બહુ જ શોખ હતો અને તેઓ દેવાનંદના બહુ જ મોટા ફેન હતા. તેઓ દેવાનંદના એટલા મોટા ફેન હતા કે, જોની મેરા નામમાં દેવાનંદે કયા કલરનુ શર્ટ પહેર્યું હતું, તે પણ તેમને યાદ રહેતુ હતું. તેઓ અનેકવાર ફિલ્મોના ડાયલોગ્સ બોલતા હતા. 

ચૂંટણી લડવામાં આડે આવી ઉંમર

5/10
image

1977માં વાજપેયી જેટલી લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ તેમની ઉંમર ઈલેક્શન લડવા માટે ઓછી હતી. તો જેલમાં રહેવાને કારણે તેમના અભ્યાસનું એક વર્ષ પણ ખરાબ થયું હતું. જેને કારણે તેમણે પોતાનો લોની ડિગ્રી પૂરી કરવાનો નિર્ણય લીધો. 

લગ્નમાં ઈન્દિરા અને વાજપેયી પણ આવ્યા

6/10
image

જેટલીના લગ્નમાં ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી બંને સામેલ થયા હતા. તેમના લગ્ન સંગીતા ડોગરા સાથે થયા હતા, જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગિરધારી લાલ ડોગરાની દીકરી હતા.

મોંઘી ચીજોના શોખીન છે જેટલી

7/10
image

જેટલીને મોંઘીદાટ ઘડિયાળનો બહુ જ શોખ રહેતો. તેમણે એ સમયે પેકેટ ફિલીપ ઘડિયાળ ખરીદી હતી. એ સમયના લોકો ઓમેગાથી આગળ કંઈ ખરીદવાનું વિચાર કરતા ન હતા.

જ્યારે ઘરથી ભાગી ગયા હતા

8/10
image

જેટલી કોલેજના દિવસોથી જ ABVP સાથે જોડાયેલા હતા અને રાજનીતિમાં સક્રિય થયા હતા. આ દમરિયાન જ્યારે દેશમાં ઈમરજન્સી લાગુ કરી તો તેમણે સરકાર સામે મોરચો માંડ્યો. જેને કારણે અરુણ જેટલી પર પોલીસે ગાળિયો કસવાનું શરૂ કર્યું અને તેમની ધરપકડ કરવા માટે 25 જૂન, 1975ના રોજ રાત્રે બે વાગ્યે તેમના ઘરની બહાર પહોંચી ગયી. પોલીસ જોરજોરથી દરવાજા ખટખટાવવા લાગી. અચાકન તેમના પિતા મહારાજ કૃષ્ણ જેટલીને કોઈ સાથે ચર્ચા કરવાનો અવાજ આવ્યો, અને તેમની ઊંઘ ઉડી ગઈ. જેટલીને સમજતા વાર ન લાગી કે પોલીસ તેમને પકડવા આવી છે. ધરપકડથી બચવા માટે તેમણે મોડી રાત્રે બે વાગ્યે પાછળના દરવાજાથી ભાગી નીકળવુ પડ્યું. 

જેટલી ડિસ્કો પણ જતા

9/10
image

જેટલી અને તેમના મિત્રોને ડિસ્કોથેકનો પણ શોખ હતો. તેઓ એકમાત્ર ડિસ્કોથેક સેલરમાં જતા હતા.

સારુ ખાવાનું પસંદ હતું

10/10
image

અરુણ જેટલી સારી વાનગીના પણ શોખીન હતા. તેમની આ આદતને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુ જ ચિંતિંત રહેતા હતા. તેઓ હંમેશા જેટલીને ડાયટ કન્ટ્રોલ કરવાની સલાહ આપતા હતા.