ભોજન કર્યા બાદ આ આસનમાં બેસો, 15 મિનિટમાં કંટ્રોલ થવા લાગશે ડાયાબિટીસ સહિત આ 5 સમસ્યા

Vajrasana Benefits In Gujarati: વ્રજાસન યોગની એક એવી મુદ્રા છે, જે બ્રેનથી લઈને બોન્સ અને ડાઇજેશન સુધીની સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે. આ આસન ભોજન બાદ કરવું ખુબ ઉપયોગી સાબિત થાય છે. અહીં તમે વજ્રાસનના 5 મહત્વના ફાયદા જાણી શકો છો.

પાચનમાં સુધાર

1/6
image

વજ્રાસન કરવાથી પાચન શક્તિ સારી થાય છે, જેનાથી ભોજન સારી રીતે પચાવવામાં મદદ મળે છે. તે ગેસ, એસિડિટી અને કબજીયાત જેવી પાચન સમસ્યાઓમાં રાહત આપે છે. 

ડાયાબિટીસ કંટ્રોલ

2/6
image

વજ્રાસન કરવાથી ઇંસુલિનની સંવેદનશીલતા વધે છે, જેનાથી લોહીમાં બ્લડ લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી આસન છે. 

પેટની ચરબીથી છુટકારો

3/6
image

વજ્રાસન કરવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે, જેનાથી શરીરનું વજન કંટ્રોલમાં રહે છે. 

પીઠમાં દુખાવો

4/6
image

વજ્રાસન કરવાથી શરીરનું પોશ્ચર સુધરે છે. જેનાથી પીઠમાં દુખાવો અને અન્ય પોશ્ચર સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.

તણાવ ઘટાડે છે

5/6
image

વજ્રાસન કરવાથી તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ મળે છે, જેનાથી મન અને શરીરને શાંતિ મળે છે. તેને કરવાથી અનિંદ્રાની સમસ્યામાં પણ રાહત મળે છે.

 

કઈ રીતે કરશો વજ્રાસન

6/6
image

- સીધા બેસો અને તમારા પગને તમારા નિતંબની નીચે વાળો. -તમારા ઘૂંટણને જમીન પર રાખો અને તમારા તળિયાને ઉપર તરફ કરો. - તમારી પીઠ સીધી રાખો અને તમારી હથેળીઓને તમારા ઘૂંટણ પર રાખો. -આ મુદ્રામાં થોડીવાર બેસો અને ધીમે ધીમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.