દિવાળી પહેલા શનિ પુષ્ય અને રવિપુષ્યનો સિદ્ધિ અને સફળતા અપાવતો દુર્લભ સંયોગ

દિવાળીની પહેલા જ આ વર્ષે બે દિવસ થશે પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ નો સંયોગ  અનેક લોકોના મનની  મનોકામના પૂર્ણ કરી શકે, જાણીતા જ્યોતિષી ચેતન પટેલ ના જણાવ્યા અનુસાર આવા શુભ અને બળવાન દિવસે  કરેલા સંકલ્પો પાર પડે છે. કાર્યોની શરૂઆત કરીએ તો ધન ધાન્ય ની વૃદ્ધિ થાય છે સોનુ ચાંદી ઝવેરાત ખરીદવાથી સમૃદ્ધિ વાન થવાય છે. આ દિવસો એ ચોપડા લાવવા તથા સોનુ-ચાંદી  ઝવેરાત ખરીદવા તથા વેપાર ધંધાની શરૂઆત કરવા તથા  ગાડી મકાન વગેરેની ખરીદી કરવી કે ઉદ્ઘાટન કરવા માટે શુભ દિવસ ગણવામાં આવે છે.

દિવાળી પહેલા શનિ પુષ્ય અને રવિપુષ્યનો સિદ્ધિ અને સફળતા અપાવતો દુર્લભ સંયોગ

જ્યોતિષી ચેતન પટેલ: દિવાળીની પહેલા જ આ વર્ષે બે દિવસ થશે પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ નો સંયોગ  અનેક લોકોના મનની  મનોકામના પૂર્ણ કરી શકે, જાણીતા જ્યોતિષી ચેતન પટેલ ના જણાવ્યા અનુસાર આવા શુભ અને બળવાન દિવસે  કરેલા સંકલ્પો પાર પડે છે. કાર્યોની શરૂઆત કરીએ તો ધન ધાન્ય ની વૃદ્ધિ થાય છે સોનુ ચાંદી ઝવેરાત ખરીદવાથી સમૃદ્ધિ વાન થવાય છે. આ દિવસો એ ચોપડા લાવવા તથા સોનુ-ચાંદી  ઝવેરાત ખરીદવા તથા વેપાર ધંધાની શરૂઆત કરવા તથા  ગાડી મકાન વગેરેની ખરીદી કરવી કે ઉદ્ઘાટન કરવા માટે શુભ દિવસ ગણવામાં આવે છે.

આસો વદ-૦૭ શનિવાર  તા.૦૪-૧૧-૨૦૨૩ શનિ પુષ્ય નક્ષત્ર યોગ રચાય છે જેના શ્રેષ્ઠ મુહર્ત આ પ્રમાણે છે 
(ચલ લાભ અમૃત)
સમય : સવારમાં ૧૨-૨૩ થી ૧૬-૩૫ 
સાંજે ૧૭-૫૯ થી ૧૯-૩૫ અને 
રાત્રે ૨૧-૧૧ થી ૨૪-૨૪માં 

( ૨) આસો વદ-૦૮ રવિવાર
રવિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ તા.૦૫-૧૧-૨૦૨૩ 
સમય : સવારના ૦૮-૧૧ થી ૧૦-૨૮ (ચલ ,લાભ)  સુધીમાં ચોપડા લાવવા સોનું ચાંદી ખરીદવા શુભ કાર્યનું મુહર્ત કરવા 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્ર તમામ ૨૭ નક્ષત્રોમાં શ્રેષ્ઠ અને  બળવાન ગણાયું છે તેનો સંયોગ  જ્યારે ગુરુ  રવિ જેવા વાર સાથે હોય ત્યારે તેને આપણે ગુરૂપુષ્યામૃત કે રવિ પુષ્યામૃત જેવો શ્રેષ્ઠ અને બળવાન સિદ્ધિયોગ થાય છે  તેજ રીતે શનિવાર અને પુષ્ય નક્ષત્ર હોય ત્યારે પણ સિદ્ધિયોગ બને છે કેમ કે શનિ પોતે પુષ્ય નક્ષત્રનો સ્વામી છે.

શાસ્ત્રમાં શનિ પુષ્યામૃત યોગ પણ વિશિષ્ટ કાર્યો જેવા કે વેપાર ધંધા નું ઓપનિંગ કે મુહૂર્ત મોટો ઓર્ડર આપવો કે લેવો તથા નવા વર્ષ ના ચોપડા લેવા કે ઓર્ડર આપવો કે ગાડી મકાન જમીન ઓફિસ કે દુકાન ખરીદ  કરવી કે દસ્તાવેજી કાર્યો કરવા તથા ફેક્ટરીમાં ઉત્પાદન શરૂ કરવું  રોકાયેલા કાર્યો માટે ફરી કાર્ય શરૂ કરવું વગેરે માટે શ્રેષ્ઠ અને  સિદ્ધિદાયક પુરવાર થઈ શકે છે.

રવિવારે સૂર્યોદય સમયે  શરૂ થઈ પુષ્ય નક્ષત્ર  સવારે 10 -28 મિનિટ સુધી જ રહેવાનું હોવાથી આ જ સમય માં સોના-ચાંદી ઝવેરાત ની ખરીદી અથવા તેનું પૂજન તેમજ કરવામાં આવે તેને જ સિદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાવાળું ગણવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news