Budhwar Upay: ઘરમાં નથી ટકતા પૈસા, આર્થિક તંગીથી બચવા બુધવારે કરો આ 5 ઉપાય

Budhwar Upay: ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે અને જે ભક્તો તેમની સંપૂર્ણ શ્રધ્ધા સાથે પૂજા કરે છે તેમના જીવનમાં તમામ વિઘ્ન દૂર થાય છે.

Budhwar Upay: ઘરમાં નથી ટકતા પૈસા, આર્થિક તંગીથી બચવા બુધવારે કરો આ 5 ઉપાય

Budhwar Upay: હિન્દુ ધર્મમાં બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે અને આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ગણેશજીની કૃપા હોય છે તેને પોતાના જીવનમાં કોઈપણ પ્રકારના અવરોધો અને સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આ સિવાય બુધવારનો દિવસ બુધ ગ્રહને સમર્પિત છે અને બુધને જ્ઞાનનો દેવતા કહેવામાં આવે છે.  ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા કહેવામાં આવે છે. તેથી જો બુધવારે ગણપતિ અને બુધની પૂજા કરવામાં આવે તો માણસને જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થાય છે. આ સિવાય કેટલાક ઉપાયો અપનાવવાથી ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ પણ ખુલે છે.

No description available.

બુધવારના ઉપાય
-જો તમે ધન પ્રાપ્તિ ઈચ્છતા હોવ તો બુધવારે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરો. આનાથી તે પ્રસન્ન થઈને પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરે છે.
-બુધવારે ભગવાન ગણેશને 5 કે 7 દુર્વા અર્પણ કરો. તેનાથી તે ખુશ થાય છે અને તમારી બધી પરેશાનીઓ દૂર થાય છે.

-બુધવારે પર્સમાં આખા મૂંગના 7 દાણા, 10 ગ્રામ ધાણા અને એક પંચમુખી રુદ્રાક્ષ અથવા હળદરનો ગઠ્ઠો રાખો. આનાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય.
-ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે અને તેથી તેમની પૂજા કરતી વખતે બુધવારે મોદક અવશ્ય ચઢાવો. આ પછી તમારી તિજોરી પાસે મોદક રાખો. જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે.
-ધન પ્રાપ્તિ માટે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે તેમને 21 અથવા 42 જાવીત્રી અર્પણ કરો. તેનાથી આર્થિક સંકટ દૂર થશે અને ધન લાભ થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. zee24kalak આની પુષ્ટિ કરતું નથી. )

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news