5 મે 2023 ના રોજ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળ માન્ય છે કે નહીં

Chandra Grahan 2023: વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 મે અને શુક્રવારે થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ રાત્રે 8.46 મિનિટથી શરૂ થશે અને મધ્ય રાતે 1.02 મિનિટે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. ચંદ્રગ્રહણનો સમય લગભગ ચાર કલાક જેટલો છે. 

5 મે 2023 ના રોજ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળ માન્ય છે કે નહીં

Chandra Grahan 2023: સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના હોય છે. જોકે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને શુભ માનવામાં આવતા નથી. થોડા દિવસો પહેલા જ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થયું હતું અને હવે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. ત્યારે જાણીએ કે આ ચંદ્રગ્રહણનો પ્રભાવ ભારત ઉપર પડશે કે નહીં અને સૂતક કાળ માન્ય રહેશે કે નહીં.

આ પણ વાંચો: 

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ચંદ્રએ મનનો કારક ગ્રહ છે. જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે ચંદ્ર ગ્રસિત થઈ જાય છે જેની અસર દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ પર પડે છે. 

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 મે અને શુક્રવારે થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ રાત્રે 8.46 મિનિટથી શરૂ થશે અને મધ્ય રાતે 1.02 મિનિટે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. ચંદ્રગ્રહણનો સમય લગભગ ચાર કલાક જેટલો છે. 

ચંદ્રગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ અને અનુરાધા નક્ષત્રમાં થશે. તેથી ચંદ્રગ્રહણ દરમિયાન આ રાશિ અને નક્ષત્ર ધરાવતા લોકોએ સાવધાન રહેવું પડશે. જોકે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ એશિયા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વી યુરોપમાં કેટલાક ભાગોમાં જોવા મળશે. 

ચંદ્રગ્રહણ નો સુતક નો સમય 9 કલાક પહેલાથી શરૂ થઈ જાય છે. પરંતુ આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં.  જેના કારણે કોઈપણ પ્રકારના ભોજા પાઠ કે ધાર્મિક કાર્યો ઉપર રોક રહેશે નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news