Gajkesari Rajyog 2023: ગજકેસરી રાજયોગથી આ 5 જાતકોની ભરાશે તિજોરી, કરિયરમાં મળશે મોટી સફળતા

Gajkesari Rajyog 2023: ગજકેસરી રાજયોગ તથા શુક્ર ઉદયથી ઘણી રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ શકે છે. આ સમય કેટલાક જાતકો માટે ખુબ શુભ સાબિત થઈ શકે છે. જાણો આ રાશિઓ વિશે... 

Gajkesari Rajyog 2023: ગજકેસરી રાજયોગથી આ 5 જાતકોની ભરાશે તિજોરી, કરિયરમાં મળશે મોટી સફળતા

નવી દિલ્હીઃ Gajkesari Rajyog 2023: ગજકેસરી રાજયોગ ત્યારે બને છે જ્યારે રાહુલ પહેલાથી મેષ રાશિમાં સ્થિત હોય છે અને દેવગુરૂ બૃહસ્પતિએ પણ મેષ રાષિમાં પોતાનું ગોચર કરી લીધુ છે. આ રાજયોગ ધન, સમૃદ્ધિ  અને શાંતિ માટે જાણીતો છે. પરંતુહવે કર્ક રાશિમાં શુક્રના ઉદયની સાથે તેની પોઝિટિવ એનર્જી વધી ગઈ છે, જે છ રાશિઓ માટે ધનલાભનો સંકેત આપી રહી છે. જાણો કઈ રાશિના જાતકોને ગજકેસરી રાજયોગથી લાભ થશે. 

મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનો ઉદય ખુબ લાભકારી માનવામાં આવી રહ્યો છે. તમે આ સમય દરમિયાન જીવનની મુશ્કેલીમાંથી છુટકારો મેળવવાની આશા કરી શકો છો. તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ છવાશે અને સંપત્તિ કે વાહન ખરીદવાની તક મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂર્ણ થશે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમય યોગ્ય છે. 

કર્ક રાશિઃ કર્ક રાશિમાં શુક્રનો ઉદય કર્ક રાશિના જાતકો માટે શુભ સંકેત છે. તમે તમારા પરિવાર સાથે શાંતિપૂર્વક સમય પસાર કરશો. આ સમય રોકાણ માટે અનુકૂળ છે અને નોકરી કરનાર લોકોને પ્રમોશન તથા પગાર વધારાનો લાભ મળી શકે છે. ગજકેસરી રાજયોગના પ્રભાવથી તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિશે વિચાર કરી શકો છો અને તમારા લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. 

મિથુન રાશિઃ શુક્રનો ઉદય મિથુન રાશિના જાતકો માટે લાભ લઈને આવશે. તમને પ્રયાસોમાં સફળતા મળી શકે છે. શુક્રના ઉદયથી બનનાર ગજકેસરી રાજયોગને કારણે તમને આ દરમિયાન નાણાકીય લાભની આશા કરી શકો છો. આવકના નવા માર્ગ ખુલશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. માર્કેટિંગ, મીડિયા તથા કમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોને આ દરમિયાન લાભ મળવાની સંભાવના છે. 

કન્યા રાશિઃ આ રાશિમાં શુક્રનો ઉદય ખુબ શુભ સાબિત થઈ શકે છે. અચાનક ધનલાભની સંભાવના છે. તમે મિત્રો સાથે સમય પસાર કરશો અને આવકના નવા સ્ત્રોત ખુલશે. કન્યા રાશિના જાતકોને ગજકેસરી રાજયોગથી લાભ થશે, જે કરિયરમાં પ્રગતિ અને આવકમાં વધારાનું વચન આપે છે. સંપત્તિમાં રોકાણ કરવુ શુભ રહેશે. 

કુંભ રાશિઃ આ રાશિના છઠ્ઠા ભાવમાં શુક્રના ગોચરથી કુંભ રાશિના જાતક તેના ભાગ્ય ચમકવાની આશા કરી શકે છે. આ દરમિયાન ગજકેસરી રાજયોગના પ્રભાવથી તમને માતા-પિતાનો સહયોગ મળશે. પરંતુ તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું પડશે. તમારૂ સંપત્તિ, વાહન કે નવુ ઘર ખરીદવાનું સપનું સાકાર થઈ શકે છે. આવકના નવા માર્ગ ખુલશે અને લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. તમારા અટવાયેલા કામ પૂર્ણ થશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news