Vastu tips: વેપારમાં છપ્પર ફાડકે થશે નફો, અજમાવો આ સરળ વાસ્તુ ટીપ્સ, કર્યાની સાથે કરશે અસર

Vastu tips:  સફળતા મેળવવા માટે આખો દિવસ મહેનત કર્યા પછી પણ લાભ ન થાય તો પછી લોકો તેમના નસીબને દોષ દેવા લાગે છે. આવી સ્થિતિમાં તમારા ભાગ્યને દોષ આપતા પહેલા તમારે તમારા કાર્યસ્થળની જગ્યાના વાસ્તુ દોષ પર ધ્યાન આપવું જોઈએ અને તેના નિવારણ પર વિચારવું જોઈએ. 

Vastu tips: વેપારમાં છપ્પર ફાડકે થશે નફો, અજમાવો આ સરળ વાસ્તુ ટીપ્સ, કર્યાની સાથે કરશે અસર

Vastu tips: વેપાર-ધંધામાં વાસ્તુનું ઘણું મહત્વ છે. ઘણી વખત એવું જોવા મળે છે કે કેટલાક ઉદ્યોગપતિઓ પોતાની બુદ્ધિ અને કૌશલ્યથી ઓછા સમયમાં અપાર પૈસા કમાઈ લે છે, જ્યારે કેટલાક ઉદ્યોગપતિઓ એવા હોય છે જે ખૂબ મહેનત કર્યા પછી પણ બહુ ઓછા સમૃદ્ધ અને સફળ થઈ શકે છે. સફળતા મેળવવા માટે આખો દિવસ મહેનત કર્યા પછી પણ લાભ ન થાય તો પછી લોકો તેમના નસીબને દોષ દેવા લાગે છે. આવી સ્થિતિમાં તમારા ભાગ્યને દોષ આપતા પહેલા તમારે તમારા કાર્યસ્થળની જગ્યાના વાસ્તુ દોષ પર ધ્યાન આપવું જોઈએ અને તેના નિવારણ પર વિચારવું જોઈએ. 

ભારતીય વાસ્તુશાસ્ત્રમાં વ્યાપાર વૃદ્ધિ માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે અને તે નિયમો અનુસાર વેપાર કરવાથી વ્યક્તિ ઈચ્છિત આવક મેળવી શકે છે. વ્યક્તિ કોઈપણ વ્યવસાય કરે તેને લાભ ચોક્કસથી થાય છે અને તે તેના પરિવારને ખુશ રાખી શકે છે અને તેની સંસ્થામાં કામ કરતા લોકોને ટકાવી શકે છે.  

વાસ્તુના નિયમો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક, શાસ્ત્રોક્ત અને પ્રાકૃતિક છે. વેપાર અને વાસ્તુ વચ્ચે પણ ગાઢ સંબંધ હોય છે. ઘણી વખત વેપાર એક જગ્યાએ સફળ થતો નથી પણ જો તે જ કામ બીજી જગ્યાએ કરવામાં આવે તો તેને ત્યાં અપાર સફળતા મળવા લાગે છે કારણ કે ત્યાંનું વાસ્તુ વ્યવસાય માટે અનુકૂળ હોય છે.

જેમકે અગ્નિ સંબંધિત કામ હંમેશા અગ્નિ કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં કરવું ફાયદાકારક છે. તેવી જ રીતે જો તમે પાણી આધારિત વ્યવસાય કરવા માંગો છો, તો તે ઉત્તર-પૂર્વ દિશામાં કરવો જોઈએ. આમ કરવાથી વ્યાપાર અને વાસ્તુ વચ્ચે તાલમેલ રહેશે અને તમને તમારી ઈચ્છિત આવક મળવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news