હોલિકાની અગ્નિમાં આ ત્રણ વસ્તુ પધરાવો અને પછી કરો 3 પરિક્રમા... મનની ઈચ્છા થશે પૂરી

Holika Dahan Upay: હોળીના એક દિવસ પહેલા પૂનમના દિવસે રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહનની પરંપરા ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ, હિરણ્યકશ્યપ અને હોલિકા સાથે જોડાયેલી છે. હોલિકા દહન સમયે મહિલાઓ પાઠ પૂજા કરે છે અને હોલિકાની અગ્નિમાં કેટલીક સામગ્રી અર્પણ કરે છે.

હોલિકાની અગ્નિમાં આ ત્રણ વસ્તુ પધરાવો અને પછી કરો 3 પરિક્રમા... મનની ઈચ્છા થશે પૂરી

Holika Dahan Upay: હોળી એ રંગોનો તહેવાર છે અને તેને દર વર્ષે ધામધૂમથી દેશભરમાં ઉજવવામાં આવે છે. હોળીને દરેક ધર્મના લોકો ઉજવે છે હોળી સાંપ્રદાયિક એકતા અને સંહારધનો પર્વ છે. આ દિવસે અલગ અલગ ધર્મના સમુદાયોના લોકો એકબીજાને રંગ ગુલાલ ઉડાડીને તહેવાર મનાવે છે. હોળીના એક દિવસ પહેલા પૂનમના દિવસે રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહનની પરંપરા ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ, હિરણ્યકશ્યપ અને હોલિકા સાથે જોડાયેલી છે. હોલિકા દહન સમયે મહિલાઓ પાઠ પૂજા કરે છે અને હોલિકાની અગ્નિમાં કેટલીક સામગ્રી અર્પણ કરે છે. ત્યાર પછી હોલિકાની પરિક્રમા કરે છે. 

આ પણ વાંચો:

હોલિકાની અગ્નિમાં ચડાવો આ ત્રણ વસ્તુ

પૂનમ ની સાંજે મહિલાઓ જ્યારે હોલિકાની પૂજા કરે છે ત્યારે આ ઉપાય કરી શકાય છે. હોલિકા ની અગ્નિમાં ઘઉંના પાકની ઉંબી, ગાયના છાણના છાણા અને શ્રીફળ પધરાવવા જોઈએ. અગ્નિમાં આ ત્રણ વસ્તુ ચડાવીને અગ્નિની પરિક્રમા કરવી જોઈએ. આ રીતે હોલિકાની પૂજા કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે. 

હોલિકાની ત્રણ પરિક્રમા કરો

હોલિકા ની પૂજામાં પરિક્રમા ખૂબ જ મહત્વની હોય છે. સાચા મન અને શ્રદ્ધાપૂર્વક જો પરિક્રમા કરવામાં આવે તો જે પણ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હોય તે ઓછું પૂરી થાય છે. હોલિકા ની અગ્નિમાં ઉપર જણાવ્યા અનુસાર ત્રણ વસ્તુ પધરાવીને ત્રણ પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news