સનાતન ધર્મ એટલે શું? શું છે તેનો ઈતિહાસ? જાણો સતાનત ધર્મના 4 મઠ અંગેની કહાની...

પ્રાચીન ભારતીય સનાતન પરંપરા નો વિકાસ અને હિંદુ ધર્મ ના પ્રચાર પ્રસાર માં આદિશંકરાચાર્યનું મહાન યોગદાન છે. એમણે ભારતીય સનાતન પરંપરા ને પુરા દેશ માં ફેલાવવા માટે ભારત ના ચારેય ખૂણા માં ચાર શંકરાચાર્ય મઠો ની સ્થાપના કરી હતી અને દશનામી અખાડા અને નાગા ફૌજ બનાવી ધર્મ ની રક્ષા કરી આ ચારેય મઠ આજે પણ ચાર શંકરાચાર્યો ના નેતૃત્વ માં સનાતન પરંપરા ના પ્રચાર તેમજ પ્રસાર કરી રહ્યા છે.

સનાતન ધર્મ એટલે શું? શું છે તેનો ઈતિહાસ? જાણો સતાનત ધર્મના 4 મઠ અંગેની કહાની...

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સાધુ-સંતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ચિત્રને ખોટી રીતે દર્શાવાતા આ વિવાદ છેડાયો છે. ત્યારે ફરી એકવાર સનાતન ધર્મનો મુદ્દો ઉઠ્યો છે. ફરી એકવાર સનાતન ધર્મના સાધુ-સંતો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને ધર્મ રક્ષાની વાત કરી રહ્યાં છે. હમણાં થોડા સમય પહેલાં મધ્યપ્રદેશથી ગુજરાત આવેલાં બાબા બાગેશ્વર ધામ પણ સભાઓ યોજીને સનાતન ધર્મની વાત કરતા હતાં. સવાલ એ થાય છેકે, સનાતન ધર્મ અંગે આપણે કેટલું જાણીએ છીએ? શું તમે સનાતન ધર્મના મઠ અને તેના વૈદિક સંબંધો વિશે જાણો છો? દરેક હિન્દુ દરેક સનાતનીએ આ વાત જરૂર જાણવા જેવી છે. 

પ્રાચીન ભારતીય સનાતન પરંપરા નો વિકાસ અને હિંદુ ધર્મ ના પ્રચાર પ્રસાર માં આદિશંકરાચાર્યનું મહાન યોગદાન છે. એમણે ભારતીય સનાતન પરંપરા ને પુરા દેશ માં ફેલાવવા માટે ભારત ના ચારેય ખૂણા માં ચાર શંકરાચાર્ય મઠો ની સ્થાપના કરી હતી અને દશનામી અખાડા અને નાગા ફૌજ બનાવી ધર્મ ની રક્ષા કરી આ ચારેય મઠ આજે પણ ચાર શંકરાચાર્યો ના નેતૃત્વ માં સનાતન પરંપરા ના પ્રચાર તેમજ પ્રસાર કરી રહ્યા છે.

સનાતન ધર્મ કોને કહેવાય?
શાસ્ત્રોમાં કહેવાયું છેકે, સનાતન ધર્મ એટલે ત્રિવિધ, ત્રિમાર્ગ ગામી અને ત્રિકર્મરતના સિધ્ધાંત પર ઉભેલો ધર્મ તે જ સનાતન ધર્મ છે. અંતરાત્મા, માનસિક જગત અને સ્થૂળ જગત આ ત્રણે સ્થાનોમાં પરમાત્મા પ્રકૃતિ સૃષ્ટ એટલે કે પ્રકૃતિથી ઉત્પન્ન મહાશક્તિ દ્વારા ચાલવાવાળો વિશ્વરૂપ સનાતન ધર્મ પોતાનો આત્મપ્રકાશ પાથરી રહ્યો છે. આ ત્રણે  સ્થાનોમાં એની સાથે અંતરનું જોડાણ હોવાની ચેષ્ટા જ સનાતન ધર્મનું ત્રિવિધ તત્વ છે એટલે જ સનાતન ધર્મ ત્રિવિધ છે.

અ ત્રિવિધ રત્નો એટલે કે જ્ઞાાન, ભક્તિ અને કર્મ આ ત્રણે રત્નો સ્વસ્થતાપૂર્વક જીવનમાં અહંકાર અને રાગદ્વેષ છોડીને આચરણ કરવાથી જ મનુષ્યમાં  મનુષત્વ પ્રાપ્ત થાય છે અને સત્યતા પ્રસ્થાપિત થાય છે. આ ત્રણે રત્નો દ્વારા જ આત્મશુદ્ધિ કરીને પરમાત્માની સાથે એકત્વ થવાનું છે એટલે કે પરમાત્મા સાથે મળી જવાનું છે. આમ દ્વૈતમાંથી મુક્ત થઈ અદ્વૈતતા પ્રાપ્ત  કરવાની છે. એ જ સનાતન ધર્મની આખરી મંજિલ છે, ત્યાં પહોંચ્યા વિના સનાતન ધર્મનું આચરણ નથી. તે આપોઆપ સાબિત થાય છે આ રીતે સનાતન ધર્મની ત્રીમાર્ગી ગતિ છે એટલે જ કહેવાય છે સનાતન ધર્મ ત્રિમાર્ગગામી છે.

સનાતન ધર્મના ચાર મઠ વિશે જાણીએઃ

શ્રુંગેરી મઠ:
શ્રુંગેરી શારદા પીઠ ભારત ના દક્ષીણ માં રામેશ્વરમ માં સ્થિત છે. શ્રુંગેરી મઠ કર્નાટક ના સૌથી પ્રસિદ્ધ મઠો માં થી એક છે.  એની નીચે દીક્ષા લેવા વાળા સંસ્યાસીઓ ના નામ પછી સરસ્વતી, ભારતી, પૂરી સંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે. જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠ નું મહાવાક્ય અહં બ્રહ્માસ્મિ છે. મઠ ની નીચે યુજુર્વેદ ને રાખવામાં આવ્યો છે. એની પહેલા મઠાધીશ આચાર્ય સુરેશ્વર હતા.
હાલ: જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી શ્રી ભારતિતિર્થ મહસ્વામી

ગોવર્ધન મઠ:
ગોવર્ધન મઠ ઓરિસ્સા ના પૂરી માં છે. ગોવર્ધન મઠ નો સંબંધ ભગવાન જગન્નાથ મંદિરથી છે. બિહારથી લઈને રાજમુંદ્ર સુધી અને ઓરિસ્સાથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી નો ભાગ આ મઠ ની અંતર્ગત આવે છે.ગોવર્ધન મઠ ની નીચે દીક્ષા લેવા વાળા સંન્યાસીઓ ના નામ પછી આરણ્ય સંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠ નું મહાવાક્ય છેપ્રદાન બ્રહ્મ અને આ મઠ ની નીચે ઋગ્વેદ ને રાખવામાં આવ્યો છે. આ મઠ ની નીચે મઠાધીશ આદિશંકરાચાર્ય ની પહેલા શિષ્ય પદ્મપાદ હતા.
હાલ: શંકરાચાર્ય સ્વામી નિશ્ચલનંદ સરસ્વતીજી

શારદા મઠ:
દ્વારકા મઠ ને શારદા મઠ ના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ મઠ ગુજરાત માં દ્વારકાધામ માં છે. એની નીચે દીક્ષા લેવા વાળા સંન્યાસીઓ ના નામ પછી તીર્થ અને આશ્રમ સંપ્રદાય નામ વિશેષ લગાવવામાં આવે છે. જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠ નું મહાકાવ્ય છે તત્ત્વમસી અને એમાં સામવેદ ને રાખવામાં આવ્યો છે. શારદા મઠ ની પહેલા મઠાધીશ હસ્તામલક હતા. હસ્તામલક આદિશંકરાચાર્ય ના મુખ્ય ચાર શિષ્યો માં થી એક હતા.
હાલ: શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી

જ્યોતિર્મઠ:
જ્યોતિર્મઠ ઉત્તરાખંડ ના બદ્રિકાશ્રમ માં છે. એતિહાસિક રીત પર, જ્યોર્તિર્મઠ સદીઓથી વૈદિક શિક્ષા તથા જ્ઞાન નું એક એવું કેન્દ્ર રહ્યું છે.જ્યોતિર્મઠ ની નીચે દીક્ષા લેવા વાળા સંન્યાસીઓ ના નામ પછી ગિરી, પર્વત અને સાગર ચારેય દિશાઓ માં આદિશંકરાચાર્ય એ સ્થાપિત કર્યા હતા. આ ૪ મઠસંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે. જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. એનું મહાવાક્ય અયમાત્મા બ્રહ્મ છે. મઠ ની અંતર્ગત અથર્વવેદ ને રાખવામાં આવ્યો છે. એની પહેલા મઠાધીશ આચાર્ય તોટક હતા.
હાલ: શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી  મઠાધીશ  છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news