લોકો જર્જરિત મકાનમાં રહેવા મજબુર News

ભાવનગરમાં ભયજનક મકાનમાં રહેવા માટે લોકો બન્યા મજબુર, સરકારે હાથ ઉંચા કરી દીધા
શહેરના મોતના માળખા સમાન બનેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસોમાં લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. પડુ પડુ થઈ રહેલા આવાસોમાં શ્રમજીવી લોકો ભયના ઓથાર નીચે જીવન વ્યતીત કરી રહ્યા છે. પાંચ વર્ષ પહેલાં જર્જરિત બનેલા આવાસોમાં સ્લેબ તૂટી પડવાના કારણે એક કિશોરીને ગંભીર ઇજા પહોંચતા જર્જરિત મકાનોને હાઉસિંગ બોર્ડ દ્વારા એકાએક ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. જર્જરિત બનેલા આવાસોની જગ્યાએ નવા આવાસો બનાવવા યોજના જાહેર કરી હતી. ત્યારે લોકોને નવા આવાસ આપવાની બાંહેધરી આપતા રહીશોએ જર્જરિત મકાનો ખાલી કરી દીધા હતા. જો કે વર્ષોના વાહણા વીતવા છતાં આજદિન સુધી લોકોને ના તો મકાન મળ્યા અને ના મળ્યો રહેવાનો કોઈ આશરો. 
Aug 28,2020, 21:21 PM IST

Trending news