સુરેન્દ્રનગર અકસ્માત News

Surendranagar: 2 અલગ-અલગ અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત, 1 ની સ્થિતી ગંભીર
જિલ્લામાં આજે બે અકસ્માતો નોંધાયા હતા જેમાં કુલ ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યાં હતા. પ્રથમ ઘટનામાં પાટડી તાલુકાના વણોદ ગામના બે બ્રાહ્મણ ભાઇઓ બાઇક લઇને બેચરાજી જઇ રહ્યા હતા. ત્યારે નાવિયાણી અને મેરા ચોકડી પાસે એક પુરઝડપે આવી રહેલી કાર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક હરેશબાઇ કાંતિલાલ પંડ્યા (ઉ.વ 52)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મનોજ કાંતિલાલ પંડ્યા (ઉ.વ 46) ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્થિતીમાં સારવાર માટે મહેસાણા હોસ્પિટલ ખસેડાયો હતો. બંન્ને ભાઇઓ સામાજિક પ્રસંગ હોવાથી ખરીદી માટે બાઇક લઇને વણોદથી બેચરાજી જઇ રહ્યા હતા. ઘટના અંગે દસાડા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 
Jan 24,2021, 21:29 PM IST

Trending news