Assembly elections 0 News

અમરાઈવાડી બેઠકનું ગણિત : બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ, કોણ ફાવશે?
અમદાવાદ (Ahmedabad) શહેરની અમરાઇવાડી (Amraiwadi) વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો (Patidar) નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે. નવાઇની વાત એ છે અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા (Mehsana) જિલ્લાના કડીના વતની છે. ભારતીય જનતા પાર્ટી (BJ))એ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે (Congress) પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો. શહેરી બેઠક હોવાથી સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીનું પલડુ ભારે હોય પણ અહી સમીકરણ અલગ જોવા મળે છે. એવું એટલા માટે કે બંને પાટીદાર નેતાઓઓ અન્ય જ્ઞાતિના મતદારો પર આધાર રાખવાનો રહે છે. ત્યારે આવતીકાલે વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પહેલા બેઠકનું ગણિત જોઈએ.
Oct 20,2019, 13:06 PM IST
ચૂંટણી પહેલા થરાદનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભા
Oct 17,2019, 14:40 PM IST
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના ભાજપ પર પ્રહાર, ‘આખા દેશમાં મંદી, દૂર દૂર સુ
રાજ્યમાં 21 ઓક્ટોબરના રોજ યોજનારી 9 વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ના ઉમેદવાર સ્થાનિક કાર્યકરોની પસંદગીને ધ્યાને લઈને કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રા (Gandhi Sandesh Yatra) માં ભાગ લેવા માટે આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે (Rajiv Satav) નિવેદન આપતા કહ્યું કે, 6 વિધાનસભાની ચુટંણી માટે ગુજરાત કોંગ્રેસ (Congress) તૈયાર છે. આજે આખા દેશમાં આર્થિક મંદી છે. ઉદ્યોગ યુનિટ બંધ થઇ રહ્યાં છે. યુવાનો બેરોજગાર છે. દૂર દૂર સુધી ક્યાંય વિકાસ દેખાતો નથી. ગુજરાતમાં જે કામ થવા જોઈએ, એ આ સરકાર દ્વારા થતા નથી. તેની સામે જે કાર્યક્રમ કરવાના છે તે અંગે ચર્ચા થશે. તમામ મુદ્દાઓ અમે પ્રજા વચ્ચે લઈ જઈશું.  
Sep 26,2019, 14:16 PM IST

Trending news