Budget 2020 News

વિધાન સભા સત્રનો આજે બીજો દિવસ, રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે સદન
Feb 27,2020, 12:45 PM IST
મહેસાણાના પશુપાલકોની બજેટને લઇને શું છે પ્રતિક્રિયા
Feb 27,2020, 12:10 PM IST
આઉટસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા ગૃહમાં નીતિન પટેલે કરી મોટી જાહેરાત
Feb 27,2020, 11:55 AM IST
ગુજરાત બજેટ: રત્નકલાકારો કોઇ જાહેરાત નહી, રત્નકલાકારો રસ્તા પર ઉતરે તેવી શક્યતા
રાજ્ય સરકારનાં બજેટ બાદ રત્ના કલાકાર સંઘમાં અસંતોષ જોવા મળ્યો છે.તેઓ દ્વારા કમિટી સાથે ચર્ચા-વિચારણા કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરત માં હીરા ઉદ્યોગની સ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી કફોડી બનતી જાય છે આ સાથે જે નાના કારખાનાઓ છે તે પણ બંધ થઈ જઈ રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 200 વ્યવસાય વેરો તરીકે ઉઘરાવવામાં આવી રહ્યા છે જેને કારણે રત્ના કલાકાર સંઘમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે આ અંગે રત્નકલાકાર સંઘ દ્વારા છેલ્લા ચાર બજેટ પૂર્વે નાણામંત્રી તેમજ મુખ્યમંત્રીને વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી..તેમ છતાં તેઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે ત્યારે આજે રજૂ થયેલા બજેટમાં ફરી એક વખત રત્નકલાકારોની ઉપેક્ષા કરવામાં આવતા તમામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે દર વર્ષે બજેટમાં રત્નકલાકારો ની ઉપેક્ષા કરવામાં આવી રહી છે રજૂઆત કર્યા બાદ પણ તેઓ માટે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી રહી નથી .જેને કારણે તેઓ દ્વારા કમિટી ના સભ્યો સાથે મિટિંગ કરી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરશે. જ્યાં સુધી તેઓની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમામ હીરા બજાર મીની બજાર તથા કારખાનો બંધ રાખવામાં આવશે.
Feb 27,2020, 10:55 AM IST
ગુજરાત બજેટ 2020: બનાસકાંઠાના ખેડૂતોની બજેટને લઇને શું છે પ્રતિક્રિયા
આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું બજેટ 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કર્યું જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ અને સહાયની જાહેરાત કરી જેમાં પશુપાલનના વ્યવસાયને વધુ વેગ મળે તેવી જાહેરાતો કરાઈ જેમાં મુખ્યમંત્રી પશુ ધિરાણ સહાય યોજના હેઠળ પશુપાલકોને એક ગાય કે ભેંસના વિયાણ દરમિયાન 150 કિલો પશુદાણની ખરીદી ઉપર 50 ટકાની સહાય તેમજ ગાય આધારિત ખેતી માટે ગાયના નિભાવ ખર્ચ પેટે માસિક 900 અને વાર્ષિક 10,800 રૂપિયાની જોગવાઈ તેમજ 10 ગામ વચ્ચે એક હરતું ફરતું દવાખાનું ,ગીર અને કાંકરેજી ગાયના સંવર્ધન માટે 232 કરોડની જોગવાઈ,પશુપાલકોને ડેરી ફાર્મ પશુ એકમ માટે 281 કરોડની જોગવાઈ તેમજ રજીસ્ટર્ડ પાંજરાપોળ અને ગૌશાળાઓને અપગ્રેડ બનાવવાની બજેટમાં જોગવાઈ કરાઈ છે જેને લઈને આ બજેટને બનાસકાંઠાના પશુપાલકોને આ બજેટ વિશે પૂછતાં તેમને કહ્યું હતું કે આ બજેટમાં પશુપાલકો અને ખેડૂતો માટે ખુબજ સરસ છે તેનાથી પશુપાલનનો વ્યવસાય વધુ મજબૂત બનશે પરંતુ હજુ વધારે યોજના પશુપાલકો માટે બનાવવાની જરૂર હતી તો આ બજેટ ફક્ત બજેટ ન બની રહે અને તેનો અમલ થાય તે જરૂરી છે.
Feb 27,2020, 10:45 AM IST

Trending news