Changes program News

PM મોદી કાર્યક્રમમાં પરિવર્તન કરી વહેલી સવારે કેશુબાપાના પરિવારની મુલાકાત લેશે
રાજ્યમાં 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ થઇ રહી છે. 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રમ મોદી કેવડિયાથી સી પ્લેનમાં બેસીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવવાનાં છે. જેના કારણે પીએમ મોદીનું 30 ઓક્ટોબરે સાંજે 3 વાગ્યે કેવડિયા હેલિપેડ ખાતે આગમન થવાનો કાર્યક્રમ નિર્ધારિત હતો. જો કે સી પ્લેનનાં ઉદ્ધાટનની તૈયારીઓ વચ્ચે ગુજરાતનાં રાજકીય ભીષ્મપિતામહ કેશુભાઇ પટેલનું નિધન થતા પીએમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. તેઓ દિલ્હીથી સીધા કેવડિયા જવાના બદલે ગાંધીનગર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડાપ્રધાનનો કાર્યક્રમ થોડો વહેલો કરીને સવારે 10 વાગ્યે સીધા જ ગાંધીનગર આવે તેવી શક્યતા છે. તેઓ ગાંધીનગર આવીને બાપાના પરિવારને મળીને સાંત્વના પાઠવે તેવી શક્યતા છે. કેશુભાઇ પટેલના પરિવારજનોને મળ્યા બાદ પીએમ મોદી કેવડિયા જઇ શકે છે. 
Oct 29,2020, 21:11 PM IST

Trending news