class
સુરત: ટ્યુશન ક્લાસ સંચાલકે ક્લાસમાં જ જુગારખાનું ચાલુ કર્યું, જુગારીઓને બનાવ્યા વિદ્યાર્થી
શહેરના કતારગામ સોનાણી ટ્યૂશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે ટ્યૂશન ક્લાસિસ બંધ રહેતા જુગારખાનુ ચાલુ કર્યું હતું. કતારગામ પોલીસે દરોડા પાડીને ટ્યૂશન સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળીને 64,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોરોનાને કારણે ગાઇડલાઇન અનુસાર ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી. ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી.
Oct 23, 2020, 10:30 PM IST8 અને 9ના ક્લાસ વધારવા લેવાયો મહત્વનો નિર્ણય
8 અને 9ના ક્લાસ વધારવા મહત્વનો નિર્ણય લેવાયો છે. આ માટે ગ્રાન્ટ ઇન એઇડ શાળા પાસેથી અરજી મંગાવવામાં આવી છે.
Sep 18, 2019, 10:45 AM ISTરિયાલિટી ચેક: જાણો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેવી ફાયરસેફ્ટી
મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં મંગળવારે બપોરે પીડીયાટ્રીક વિભાગના એનઆઇસીયુમાં આગ લાગી હતી. જેને પગલે ઝી 24 કલાક દ્વારા સુરત ખાતે આવેલી નવી સિવિલની ફાયર સેફ્ટી કેવી છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચી રિયાલિટી ચેક કર્યું હતું.
Sep 11, 2019, 12:50 PM ISTસુરત આગની ઘટના બાદ વડોદરામાં ફાયરસેફ્ટીનો સપાટો, NOC માટે લાગી લાઇનો
સુરતની ઘટના બાદ શહેરમાં આવેલ ટ્યુશન ક્લાસમાં ફાયરસેફ્ટી અંગેની તપાસ શરૂ કરાયા બાદ આજે સતત ત્રીજા દિવસે પાલિકાએ ચાર વિસ્તારમાં પોતાની ડ્રાઇવ જારી રાખી હતી. આ ચાર વિસ્તારોમાં આવેલ ટ્યુશન ક્લાસમાં દરોડા પાડી ફાયરસેફ્ટીની તપાસ હાથ ધરી હતી. અલબત્ત ફાયરસેફ્ટીને લઈનેના સંચાલકો દ્વારા સિટી કમાન્ડ સેન્ટર ખાતે કલાસ પુનઃ શરૂ કરવા માટે જરૂરી એવી એન.ઓ.સી.મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
May 27, 2019, 09:05 PM ISTસુરતની દુર્ઘટના વિશે ભાજપના નેતાઓ સાથે ખાસ વાતચીત
સુરતમાં વિદ્યાર્થીઓ સાથે બનેલી હીચકારી ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. સુરતમાં 22 વિદ્યાર્થીઓનો ભોગ લેનારી આગની દુર્ઘટના બાદ ગુજરાત સરકાર સફાળી જાગી હોય તેમ નગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટીની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ તે તપાસવા આદેશ જારી કર્યાં છે. બીજી બાજુ આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસીસ અને જ્યાં ફાયરની સુવિધા નથી ત્યાં લાલ આંખ કરવામાં આવી છે. આ અંગે ભાજપના નેતાઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.
May 26, 2019, 10:25 AM ISTસુરત દુર્ઘટના માટે જવાબદાર કોણ? શું આ દુર્ઘટના ટાળી શકાઇ હોત ?
સુરતમાં જે પ્રકારે તક્ષશિલા કોમ્પલેક્ક્ષમાં આગ લાગી અને 23 જેટલી જિંદગીઓ હોમાઇ ગઇ. આ દુર્ઘટના માટે સાચા અર્થમાં જવાબદાર કોણ છે. શું આ દુર્ઘટના ટાળી શકાઇ હોત? અથવા તો ત્વરીત કાર્યવાહીથી મૃત્યુ આંક ઘટાડી શકાયો હોય ? તમામ સવાલોનાં જવાબ મેળવવાનો Zee Media નો પ્રયાસ
May 25, 2019, 11:50 PM ISTસુરતની આગ દુર્ઘટનાની મૃતક વિદ્યાર્થીની કૃતિ દયાળની હૃદય હચમચાવી દેતી અંતિમ યાત્રા
સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે બનેલી આગની દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ કમખ્વાર ઘટનામાં સુરતના મોટા વરાછા ખાતે આવેલા ક્રિષ્નાપાર્ક ખાતે રહેતી કૃતિ નિલેશભાઈ દયાળનું મૃત્યુ થયું છે. કૃતિની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે કૃતિનું ધોરણ 12નું પરિણામ હતું પણ તે પરિણામ જોઇ શકે તે પહેલાં તેણે અંતિમ વાટ પકડી હતી.
May 25, 2019, 09:35 AM IST6 વર્ષના બાળકે અલ્લાહ-અલ્લાહ બૂમો પાડતા ટીચરના પેટમાં ફાળ પડી, અને પછી.......
અમેરિકામાં એક શાળામાં ડાઉન સિન્ડ્રોમ બીમારીથી પીડાતા છ વર્ષના બાળકે કક્ષામાં વારંવાર અલ્લાહ અને બૂમ શબ્દોનો ઉચ્ચાર કરતા મોટો હોબાળો મચી ગયો.
Dec 6, 2017, 08:43 PM IST