Jamnagar bjp News

જામનગર વાસીઓએ PM મોદીનો જન્મદિવસ ઉજવ્યો કરી તેમની સૌથી મનપસંદ પ્રવૃત્તિ
શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શહેર ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાનની જીવન યાત્રા દર્શાવતું તસવીર પ્રદર્શન ભાજપના આગેવાનોએ દિપ પ્રાગટ્ય કરી લોકો માટે ખુલ્લું મૂક્યું હતું. હાલ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર ભાજપ દ્વારા લોક લાડીલા વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના લાલવાડી વિસ્તાર પાસે પટેલ સમાજ ની વાડી નજીક ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું હતુ તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે પીએમ મોદી પર એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદીના જીવન યાત્રાની તસવીરોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનને નિહાળ્યું હતું.
Sep 17,2020, 22:30 PM IST

Trending news