New rath for jagannath News

ભગવાન જગન્નાથના નવા રથની તૈયારીઓ, બનાવતા પહેલા જગન્નાથ પુરીના રથનો પણ અભ્યાસ કરાયો
Lord Jagganath Rathyatra સપના શર્મા/અમદાવાદ : અમદાવાદમાં આ વર્ષે નીકળનારી રથયાત્રામાં ભગવાન નવા રથ ઉપર બિરાજમાન થઇ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને તો હજી વાર છે, પંરતું નવા રથ બનાવવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. રથનું મોટાભાગનું સ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ ગયું છે. ભગવાન શ્રી જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને લાડકી બહેન શુભદ્રાના રથનું કામકાજ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ રથ વલસાડી સાગમાંથી તો રથના પૈડાં સીસમના લાકડામાંથી તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રથની ડિઝાઇન માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહન્ત પુરી જઈ ત્યાંના રથનો પણ અભ્યાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૂના રથ જીર્ણ થઈ ગયા હોવાથી ભગવાન માટે હવે નવા રથ બનાવવાની જરૂર પડી છે. 
Feb 5,2023, 12:28 PM IST

Trending news