Overthrew his government News

કેશુભાઇએ મને તક આપી પણ મે વિશ્વાસઘાત કરી તેમની સરકાર ઉથલાવી, તેનું પરિણામ મને મળ્યું
14 મી વિધાનસભાના 8માં સત્રનો પ્રારંભ થઇ ચુક્યો છે. પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી અને વિધાનગૃહના નેતા વિજય રૂપાણીએ 14 મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજુ કરીને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને માધવસિંહ સોલંકી સહિત ચાર પૂર્વ દિવંગત રાજ્યમંત્રીઓ અને ધારાસભ્યોને શોકાંજલી અર્પીત કરવામાં આવી હતી. જ્યારે જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં દુખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઇએ મને ટિકિટ અપાવી હતી. એમની જ સરકાર મે ઉથલાવી દીધી હતી. મને આઝે પણ આ વાતનો રંજ છે કે હું તે વખતે સરકાર પાડ્યો હતો. કદાચ એના કારણે જ મને ડાયાબીટીસ અને બી.પીનો રોગ થઇ ગયો હતો. 
Mar 1,2021, 22:12 PM IST

Trending news