Rajtilak vidhi News

રાજતિલક સમારંભછ 51 બ્રાહ્મણ, 31 જળ, 100 ઔષધિ અને 14 પ્રકારની માટીથી અભિષેક
રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારંભનો આજે ત્રીજો દિવસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતી આપવામાં આવી રહી છે. મુખ્ય યજમાન તરીકે રાજવી માંધાતાસિંહ અને તેમના પત્ની રાજમાતા કાદમ્બરી દેવી છે. માટે 51 બ્રાહ્મણો દ્વારા 31 તીર્થોમાંથી આવેલા પવિત્ર જળ અને ઔષધીઓથી પણ અભિષેક કરવામાં આવશે. જેનો રેકોર્ડ નોંધાવા જઇ રહ્યો છે. રાજ્યાભિષેકમાં એક પછી એક રેકોર્ડ નોંધાઇ રહ્યા છે. 
Jan 30,2020, 11:39 AM IST

Trending news