Vagha atari border News

હવે રાજ્યના લોકોએ પંજાબ બોર્ડર નહી જવું પડે, અમિત શાહે ગુજરાતમાં જ કરી તમામ વ્યવસ્થા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત રહેશે. ભારત-પાક સરહદ- નડાબેટ ખાતે જોવા મળશે વાઘા-અટારી બોર્ડર જેવો નજારો જોવા મળશે. રાજ્યના સરદહી જિલ્લા બનાસકાંઠા સ્થિત ભારત-પાકિસ્તાનની નડાબેટ સીમા ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહેશે. 10 એપ્રિલ, 2022, રવિવારના રોજ સવારે 9 કલાકે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. અમિત શાહ નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી માતાના મંદિરમાં પણ દર્શન કરશે.
Apr 10,2022, 0:16 AM IST

Trending news