કેશુભાઇ પટેલ News

કેશુબાપા પંચમહાભુતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર સાથે આપવામાં આવી અંતિમ વિદાય
  ગુજરાતના રાજકારણમાં મોભી તરીકેની ફરજ બજારનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે (keshubhai patel) 93 વર્ષની વયે આજે અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાછવી રહ્યાં છે. તેમના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને ગાંધીનગર આવવા નીકળ્યા હતા અને સીધી જ કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, પ્રધાનમંત્રી મોદી (narendra modi) પણ તેમના ગુજરાત પ્રવાસમાં કેશુબાપાના પરિવારને મળવા પહોંચી શકે છે. પીએમ મોદીની રાજકીય સફરમાં કેશુભાઈનો મોટો ફાળો છે. તેમનો મૃતદેહ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. જ્યા મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ અને શુભેચ્છકો તેમને મળવા પહોંચી રહ્યાં છે. સાંજે 5 વાગ્યે અમદાવાદના સેક્ટર 30 માં તેમના અંતિમ સંસ્કાર કરાશે. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. 
Oct 29,2020, 19:50 PM IST
અમદાવાદ: RSS કાર્યાલયનાં લોકાર્પણમાં કેશુભાઇ વ્હીલચેરમાં બેસીને આવ્યા
Feb 16,2020, 17:12 PM IST

Trending news