અમદાવાદમાં નિત્યાનંદ કેસમાં 83 પાનાની ચાર્જશીટ દાખલ

અમદાવાદમાં સ્વામી નિત્યાનંદ વિરુદ્ધ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાના અપહરણના મામલે પોલીસે 83 પાનાની ચાર્જશીટ, દાખલ કરી હતી. જેમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. સોશિયલ મિડીયા પર સ્વામીને પ્રમોટ કરવા કરાતી કામગીરી, અલગ અલગ કાર્યક્રમો થયા છે. પોલીસે ડોનેશનમાં મળેલાં ₹ 9.64 લાખ કબ્જે કરી પુરાવા તરીકે લેવાયા, બાળમજૂરીને પણ પૂરાવા તરીકે લેવાઇ છે. કિંગશ્ટન માથી ગુમ થયેલી બન્ને બહેનોએ એફિડેવિટ કરી હતી. નિત્યાનંદ વિરુદ્ધ ડિસેમ્બરમાં બ્લ્યુ કોર્નર નોટીસ ઈસ્યુ કરવામા આવી હતી. ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કર્યો છે. 70 મુજબનુ વોરંટ મેળવ્યા બાદ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવાની કાર્યવાહી થશે.

Trending news