દાદરાનગર હવેલીમાં ભાજપના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે હવે કમર કસી છે. જેનાં ભાગરૂપે આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રવાસ છે. સેલવાસ-નરોલી માર્ગ પર બનેલાં નવા ભાજપ પ્રદેશ કાર્યાલયનું અમિત શાહના હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે તેઓએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. સેલવાસમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે માત્ર ગોટાળા જ કર્યા છે. 2019માં ભાજપની જ સરકાર જ બનશે.

Trending news