ભાજપના વધુ એક નેતા નારાજ, સાંસદ મનસુખ વસાવાનો સરકાર પર આક્ષેપ

કેતન ઈનામદાર (Ketan Inamdar), મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) બાદ હવે ભાજપના વધુ એક નારાજ નેતાની નારાજગી સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) હવે ભાજપ સરકારથી નારાજ છે. મનસુખ વસાવાએ ભાજપ સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર જેની પણ હોય આદિવાસીઓ માટે અમે લડી લઈશું. આ માટે રાજ્યના તમામ આદિવાસીઓએ ભેગા થવુ પડશે. સરકારને અમે ખુલ્લા પાડીશું.

Trending news