NSUI ના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, લો ગાર્ડન પાસે બસની હવા કાઢી

પાંજરાપોળ અકસ્માત મામલે આજે NSUI દ્વારા BRTS બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે લો ગાર્ડન પાસે NSUI કાર્યકર્તાઓએ એક બસની હવા પણ કાઢી નાખી હતી. જ્યારે વિવિધ વિસ્તારમાં NSUI દ્વારા વધુ દેખવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એનએસયુઆઇના કાર્યકારો દ્વારા બસ રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેથી થોડા સમય માટે ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. બસ પર ચઢીને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહેલા કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી 10 થી વધુ એનએસયુઆઇ કાર્યકરોની અટકાયત કરી હતી.

Trending news