કોંગ્રેસના પાંચમા ધારાસભ્યએ આપ્યું રાજીનામું, કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે

કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામાનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે. ગઈકાલે કોંગ્રેસ (Congress) ના જેવી કાકડિયા, સોમાભાઈ પટેલ, પ્રદ્યુમન જાડેજા અને પ્રવીણ મારુએ રાજીનામુ આપ્યું હતું. જેના બાદ સતત બીજા દિવસે મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. ત્યારે ગઢડાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનાર પ્રવિણ મારુ (Pravin maru) એ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. મેં હજુ ભાજપમાં જવાનો વિચાર કર્યો નથી. વિવિધ સમાજને તક મળવી જોઈએ તેવી મારી માંગ હતી. કોંગ્રેસને કેટલાક લોકો ખોખલી કરી રહ્યા છે.

Trending news