ગાંધીનગર: સત્યાગ્રહ છાવણી ખાતે LRD મહિલા આંદોલનકારીઓના હજુ ધરણા યથાવત

છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈને આક્રોશ ભર્યો વિરોધ કરી રહ્યા છે . આદિવાસી સમાજના લોકોમાં ફેલાયેલ અસંતોષ અને આક્રોશને પગલે ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાયેલા લોકસભા સાંસદો દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખી ખોટા આદિવાસી પ્રમાણ પત્રો રદ કરવા માટે અપીલ કરી . રબારી , ભરવાડ અને ચારણ સમાજના લોકોને અપાયેલ અદિવાસીના પ્રમાણ પત્ર રદ કરવા મુદ્દે આદિવાસી સમાજ છેલ્લા ઘણા સમયથી મેદાનમાં ઉતર્યો છે . ત્યારે વિસ્તારના સાંસદ દ્વારા આ પ્રકારે સનર્થન મળતા વલસાડ ના આદિવાસીઓ માં ખુશી પ્રસરી ગઈ છે.

Trending news