રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ મેચને લઈને તડામાર તૈયારીઓ શરૂ

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી 7 નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ યોજાવા જઇ રહ્યો છે. ..જેને લઇ આગામી 31 ઓક્ટોબરથી ટિકિટનુ વેચાણ શરૂ કરવામાં આવશે.. તો સાથે જ બાંગ્લાદેશની ટીમ પ્રથમ વખત રાજકોટ આવી રહી છે ત્યારે મેચને યાદગાર બનાવવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે...ખાસ કરી રાજકોટમાં જ્યારે મેચ યોજાવનો હોય ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટ રસિકો મેચ જોવા આવતા હોય છે. આગામી મેચને લઇ ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Trending news