‘મારી સામે કોઈ રાજકીય તાકાત નહીં ચાલે’: જયેશ રાદડિયા

હાલ ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (jayesh radadiya) ચર્ચામાં છે. હાલમાં જ તેઓ પર લોકડાયરાના એક કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરાયો હતો. ત્યાં અન્ય એક કાર્યક્રમમાં તેમના બિન્દાસ બોલ સામે આવ્યા છે. કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હુંકાર કરતા કહ્યું કે, જામકંડોરણામાં મારુ રાજકીય ખેતર છે. મારા પિતાએ આ ખેતર તૈયાર કર્યું છે. અહીં બીજા કોઈએ રાજકારણ કરવા આવવું નહિ. અને હું અહી કોઈને મારા ખેતરમાં ઘૂસવા નહિ દઉં. કોઈ પણ રાજકીય વાવાઝોડાની તાકાત અહીં નહિ ચાલે. પોરબંદરથી ચાલુ થયેલ રાજકીય વાવાઝોડું અહીં શાંત થઈ ગયું છે.

Trending news