અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી, દર્દીઓએ કરી ફરિયાદ

સોલા સિવિલમાં ફ્યુમીગેશનની વરાળ પ્રસરવાનો મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ફ્યુમીગેશનની વરાળ ICUમાં પ્રસરતા તાત્કાલિક વોર્ડ ખાલી કરાવાયા હતા. વરાળ પ્રસરવાની ઘટનાના 3 કલાક બાદ એક દર્દીનું મોત થયું હતું. દર્દીનું મોત બીમારીના કારણે થયા હોવાનું સિવિલના સુપ્રિન્ટેડન્ટ ડો.આર.એમ.જીટિયાએ જણાવ્યું હતું. જલદ પ્રવાહીની વરાળથી આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની ફરિયાદ થઈ હતી.

Trending news