આજે પીએમ મોદીની મેગા રેલી, 2 લાખથી વધુ લોકો રહેશે હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે. પીએમ મોદીની રેલી સાંજે 5 કલાકે પ્રસ્તાવિત છે. દિલ્હી ભાજપના જણાવ્યા અનુસાર, રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વ્યવસાયિકો અને યુવાનો પણ હાજર રહે તેવી સંભાવના છે. પીએમ મોદીની રેલીને સફળ બનાવવા માટે એનસીઆરને અડીને આવેલા નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, ફરીદાબાદ જેવા સબ-અર્બન વિસ્તારોમાંથી રામલીલા મેદાન સુધી પહોંચવા માટે ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

Trending news