સુરતની 400થી વધારે ખાનગી સ્કૂલો રહી બંધ કારણ કે...

શિક્ષકને માર મારવાની ઘટનાને પગલે સુરતની 400થી વધારે ખાનગી સ્કૂલો આજે બંધ રાખવામાં આવી છે. ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિાકરીએ ખાનગી સ્કૂલોને ચીમકી આપી છે કે, જો સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે તો કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતની આશાદીપ સ્કૂલના શિક્ષકે એક વિદ્યાર્થીને માર માર્યો હતો, જેના બાદ વાલીઓએ શિક્ષકને માર માર્યો હતો.

Trending news