રાજકોટ મનપાની સામાન્ય સભામાં રોગચાળાના મુદ્દે હોબાળો

રાજકોટ મનપા કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી જેમાં દર વખતેની જેમ આ વખતે પણ પ્રજાના કોઈ પ્રશ્નોના બદલે શાસક અને વિપક્ષ તું તું મેં મેંનું રાજકારણ કર્યું હતું. અને સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો. એક તરફ સમગ્ર રાજકોટ શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે આજની સામાન્ય સભામાં રોગચાળાને લઇ ચર્ચા કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

Trending news